ભરૂચ: શ્રાવણીપુનમે કરાયો મેઘરાજાનો શણગાર

New Update
ભરૂચ: શ્રાવણીપુનમે કરાયો મેઘરાજાનો શણગાર

આસ્થાના પ્રતિક સમા મેઘરાજાની મુર્તિ પ્રતિવર્ષ ભોઇ સમાજના અલગ-અલગ કારીગરો હાથ વડે ઘડે છે.તેની ખાશીયત એ છે કે કોઇ પણ બીબા વગર બનાવાતી મેઘરાજાની આ પ્રતિમાનું મુખારવિંદ દર વખતે એક સરખું જ હોય છે.અષાઢિ ચૌદસના દિવસે મોડી રાતે ભોઇ સમાજ દ્વારા નર્મદાની માટી લાવી પ્રતિમા બનાવવાનો આરંભ કરવામાં આવે છે જે દિવાસાની વહેલી સવારે પુર્ણ કરાય છે.

Advertisment

publive-image

મેઘરાજાની વિધિવત સ્થાપના બાદ તેને રંગરોગાન કરી શ્રાવણી પૂનમ એટલે કે બળેવના દિવસે વાઘા પહેરાવી સુશોભીત કરવામાં આવે છે.ભોઇ સમાજ દ્વારા મેઘરાજાના ઉત્સવની તાડામાર તૈયારીઓ આરંભાઇ છે.૧૦ દિવસ ચાલનારા આ મેઘોત્સવને માણવા ભારતભરમાંથી લોકો ઉમટે છે અને મેઘરાજાના દર્શન કરી ઘન્યતા અનુભવે છે.

Advertisment