Connect Gujarat
ગુજરાત

ભાવનગર : સગીરા સાથે દુષ્કર્મની ઘટનાના ત્રણ આરોપીઓ ઝડપાયા

ભાવનગર : સગીરા સાથે દુષ્કર્મની ઘટનાના ત્રણ આરોપીઓ ઝડપાયા
X

દેશભરમાં હૈદરાબાદ પછી વિવિધ દુષ્કર્મની ઘટનાએ ભારે ચકચાર મચાવી છે ત્યારે ગઈ

કાલે રાત્રે ભાવનગર જીલ્લામાં સગીરા સાથેના દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી છે.

જેમાં ભાવનગર ના પાલીતાણા પંથકની એક સગીરા સાથે છેલ્લા ૧ વર્ષમાં અનેકવાર અનેક

લોકો દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની પિતાની ફરિયાદના આધારે પોલીસે

સગીરાનું મેડીકલ ચેકઅપ હાથ ધર્યું હતું તેમજ આ બનાવમાં પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી

પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દેશભરમાં દુષ્કર્મ જેવા ગંભીર પ્રકારના અપરાધોનો આંક

દિનપ્રતિદિન વધી રહ્યો છે. થોડા સમયમાં બનેલી હૈદરાબાદ અને યુ.પી. ના ઉન્નવા ની દુષ્કર્મની ઘટનાઓથી દેશ અને રાજ્યભરમાં હાહાકાર

મચ્યો છે ત્યારે વધુ આવી એક દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી છે. જે ભાવનગરના

પાલીતાણા પંથકમાં એક સગીરાને એક થી વધુ શખ્સો દ્વારા એક વર્ષ સુધી પોતાની હવસનો

શિકાર બનાવી પોતાની ભૂખ સંતોષી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટનામાં સગીરાના

પિતાએ પાલીતાણા પોલીસ મથકમાં ત્રણ ઇસમો અને એક મહિલા વિરુધ ફરિયાદ નોંધાવી છે.

આ બનાવના પગલે પાલીતાણા ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો સગીરાને મેડીકલ ચેકઅપ

માટે લઇ ને ભાવનગર સર.ટી. હોસ્પિટલ ખાતે નર્સિંગ વિભાગમાં પહોચ્યો હતો અને

સગીરાનું મેડીકલ ચેકઅપ હાથ ધરવામાં આવ્યું છે. જયારે આ બનાવમાં પોલીસ ફરીયાદના

આધારે પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. જેમાં શાંતિભાઈ હિરજીભાઈ ધંધુકિયા ઉ.46, બાબુભાઇ

લાલજીભાઈ સરતાનપરા ઉ.43, ચંદ્રેશભાઈ

મગનભાઈ સરતાનપરા ઉ.32 ને

પાલીતાણા પોલીસે ઝડપી પાડ્યા છે જયારે હજુ એક મહિલા ફરાર છે.

ચોંકાવનારી માહિતી એ છે કે જે મહિલા આ દુષ્કર્મની ઘટનામાં સામેલ

છે તે બીજી કોઈ નહિ પરંતુ સગીરાની માતા છે. એટલેકે માતાની હાજરીમાં સગીરા સાથે

વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે ત્યારે આ ઘટનામાં હજુ અનેક રહસ્યો બહાર આવે

એવું લાગી રહ્યું છે. જેમાં સગીરાના પિતાને ઘેનની ટીકડી આપી સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવતું હોય તેવી પણ વિગતો મળી રહી છે તો બીજી

તરફ એવી વાતો પણ બહાર આવી છે કે સગીરા ના પિતાને ઘેન આપી માતા સગીર દીકરી સાથે દુષ્કર્મ કરાવતી

હોવાનું પણ ચર્ચાય રહ્યું છે ત્યારે સાચી હકીકત આ બનાવમાં શું છે તે તેઓ તમામ

આરોપીઓ ઝડપાય ગયા બાદ જ બહાર આવશે.

Next Story