Connect Gujarat
સ્પોર્ટ્સ

માર્ચમાં ભારત શ્રીલંકાની ભૂમિ પર ત્રિકોણીય વન ડે જંગ ખેલશે

માર્ચમાં ભારત શ્રીલંકાની ભૂમિ પર ત્રિકોણીય વન ડે જંગ ખેલશે
X

ભારતીય ટીમ આવતા વર્ષે માર્ચમાં શ્રીલંકાની ભૂમિ પર ત્રિકોણીય વન ડે જંગમાં ભાગ લેશે. શ્રીલંકાની સ્વતંત્રતાના 70 વર્ષ પુરા થઈ રહ્યા છે, ત્યારે શ્રીલંકાએ આ ત્રિકોણીય વન ડે જંગનું આયોજન કર્યું છે, જેમાં ત્રીજી ટીમ તરીકે બાંગ્લાદેશ જોડાશે. કોલંબોના આર.પ્રેમદાસા સ્ટેડિયમમાં 8 થી 20 માર્ચ દરમિયાન કુલ સાત વન ડે મુકાબલા ખેલાશે.

ત્રિકોણીય જંગમાં પ્રત્યેક ટીમને હરિફો સામે બે-બે વખત મુકાબલા રમવા પડશે. નોંધપાત્ર છે કે 1998માં શ્રીલંકાની સ્વતંત્રતાને 50 વર્ષ પુરા થયા ત્યારે પણ શ્રીલંકાએ ત્રિકોણીય જંગનું આયોજન કર્યુ હતુ, જેમાં ભારત અને ન્યુઝીલેન્ડે ભાગ લીધો હતો.

Next Story