રાજકોટમાંથી ઝડપાઇ રૂ 2000 ની 26 લાખની નકલી નોટો

New Update
રાજકોટમાંથી ઝડપાઇ  રૂ 2000 ની 26 લાખની નકલી નોટો

રાજકોટ શહેરમાં હનુમાન મઢી વિસ્તાર પાસેથી રૂ 2000 ની 26 લાખની નકલી નોટો સાથે ક્રાઇમ બ્રાન્ચે 2 શખ્સોની ધરપકડ કરી હતી.

ચોક્કસ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે છાપો માર્યો હતો જેમાં બંને શખ્સોને નકલી નોટોના મોટા જથ્થા સાથે ઝડપી લીધા હતા. જેમાં 26 લાખ રૂપિયાની 2000ના ચલણની નોટો તેમજ પ્રિન્ટર પણ કબ્જે કર્યું હતુ.

unnamed-9

આ નોટો પ્રિન્ટિંગ મશીનમાં છાપી હોવાનું તેમજ આ નોટોના વ્યવહારનું કનેકશન અમદાવાદ અને કચ્છ સાથે હોવાનું બહાર આવ્યુ હતુ.

ક્રાઇમ બ્રાન્ચે બંને શખ્સોની ધરપકડ કરીને આ અંગેની તલસ્પર્શીય તપાસ હાથ ધરી છે.

unnamed-10

ઉલ્લેખનીય છે કે નોટબંધીને હજુ 50 દિવસ પણ પુરા થયા નથી તેમજ લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે ત્યારે મોટા પ્રમાણમાં ઠેર ઠેર નકલી નોટની ફરતી હોવાની ચર્ચાઓએ વેગ પણ પકડયો છે તેમજ લોકોમાં નકલી નોટોથી ભયનો માહોલ સર્જાયો છે.

Read the Next Article

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજાય, દેશપ્રેમના રંગ જોવા મળ્યા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા માતરીયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં જિલ્લા

New Update

ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

ભાજપ દ્વારા આયોજન કરાયું

તિરંગા યાત્રાનું આયોજન

આગેવાનો અને કાર્યકરો જોડાયા

દેશભક્તિના રંગ જોવા મળ્યા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા માતરીયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, મહામંત્રી નિરલ પટેલ, શહેર પ્રમુખ જતીન શાહ સહિત પક્ષના અગ્રણીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. હાથમાં તિરંગો લહેરાવતા કાર્યકરો દેશભક્તિના સૂત્રોચ્ચાર કરતા આગળ વધતા નજરે પડ્યા હતા.ભાજપ દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત યોજાયેલી આ યાત્રા દરમિયાન શહેરના મુખ્ય માર્ગો પર દેશપ્રેમનો જુસ્સો છલકાતો જોવા મળ્યો હતો. યાત્રામાં દેશભક્તિ ગીતો, સૂત્રોચ્ચારો અને તિરંગાની લહેરાટ સાથે ઉત્સાહનો માહોલ છવાયો હતો.