લોકસભાની ચૂંટણી : આણંદ ધર્મજ બૂથ-8 પર પુન:મતદાન કરાયું

New Update
લોકસભાની ચૂંટણી : આણંદ ધર્મજ બૂથ-8 પર પુન:મતદાન કરાયું

લોકસભાની સામાન્ય ચુંટણી અંતર્ગત આણંદ લોકસભા બેઠકો માટે ગત 23 એપ્રિલના રોજ મતદાન પ્રક્રિયા યોજાઇ હતી. લોકસભાની ચૂંટણી 2019 માટે આજે આણંદ લોકસભાના ધર્મજ બૂથ-8 પર પુન:મતદાન કરવામાં આવી રહ્યું છે. જેમાં સોજિત્રા વિધાનસભામાં સમાવિષ્ટ ધર્મજ 8 પર મતદાન થઇ રહ્યું છે. ત્યારે સવારથી જ અહીં મતદાતાઓની લાઇન લાગી છે.

ધર્મજમાં 3 કલાકમાં એટલે સવારે 10 વાગ્યા સુધીમાં 20.79 ટકા મતદાન નોંધાયું છે.

મહત્વનું છે કે, બૂથ પર વિડીયોગ્રાફીને ધ્યાને લઈને કલેક્ટરે નિર્ણય કર્યો હતો. વિડીયોગ્રાફીમાં એકની એક વ્યક્તિએ વારંવાર મતદાન કર્યુ હોવાનું ખુલ્યુ હતુ. જેને લઈને ચૂંટણી અધિકારી દિલીપ રાણાએ મુખ્ય ચૂંટણીપંચને રજૂઆત કરી હતી.જે બાદ ફરીથી મતદાન થઈ રહ્યું છે.

Read the Next Article

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજાય, દેશપ્રેમના રંગ જોવા મળ્યા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા માતરીયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં જિલ્લા

New Update

ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

ભાજપ દ્વારા આયોજન કરાયું

તિરંગા યાત્રાનું આયોજન

આગેવાનો અને કાર્યકરો જોડાયા

દેશભક્તિના રંગ જોવા મળ્યા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા માતરીયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, મહામંત્રી નિરલ પટેલ, શહેર પ્રમુખ જતીન શાહ સહિત પક્ષના અગ્રણીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. હાથમાં તિરંગો લહેરાવતા કાર્યકરો દેશભક્તિના સૂત્રોચ્ચાર કરતા આગળ વધતા નજરે પડ્યા હતા.ભાજપ દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત યોજાયેલી આ યાત્રા દરમિયાન શહેરના મુખ્ય માર્ગો પર દેશપ્રેમનો જુસ્સો છલકાતો જોવા મળ્યો હતો. યાત્રામાં દેશભક્તિ ગીતો, સૂત્રોચ્ચારો અને તિરંગાની લહેરાટ સાથે ઉત્સાહનો માહોલ છવાયો હતો.