વિશ્વ વસ્તી દિવસની ઉજવણી નિમિત્તે રાજપીપલામાં યોજાઇ લોકજાગૃત્તિ રેલી

New Update
વિશ્વ વસ્તી દિવસની ઉજવણી નિમિત્તે રાજપીપલામાં યોજાઇ લોકજાગૃત્તિ રેલી

વિશ્વ વસ્તી દિનની ઉજવણી નિમિત્તે નર્મદા જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા આયોજિત લોકજાગૃત્તિ રેલીને આજે સાંજે રાજપીપલામાં નાંદોદ તાલુકા બ્લોક હેલ્થ કચેરી પાસેથી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.કે.પી.પટેલ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.વિપુલ ગામીત સહિત આરોગ્ય શાખાના અન્ય તબીબોની ઉપસ્થિતિમાં ઝંડી ફરકાવીને રેલીને પ્રસ્થાન કરાવાઇ હતી.

જિલ્લા આરોગ્ય તંત્રના તબીબો, આશાવર્કર બહેનો, પુરૂષ હેલ્થ વર્કર ઉપરાંત આરોગ્ય ખાતાના કર્મચારીઓ વગેરેની ઉપસ્થિતિમાં યોજાયેલી આ લોકજાગૃત્તિ રેલીમાં “બે બાળકો વચ્ચે લાંબો ગાળો-બાળ વિકાસ માટે ઘણો સારો”, “બે બાળક વચ્ચે ટૂંકો ગાળો- બાળ મૃત્યુમાં ઘણો વધારો”, “અમને ગમે -તમને ગમે- નાનું કુટુંબ સૌને ગમે”, “એક બાળકનું ધ્યેય મહાન- દિકરો-દીકરી એક સમાન”, “નવા જમાનાની નવી વાત-ટાંકા વગરનું એન.એસ.વી. ઓપરેશન પુરૂષને કાજ”, “મોડા લગ્ન એક જ બાળ-સુખી સમૃધ્ધ રહે સંસાર” અને “બીજુ બાળક ક્યારે- પહેલુ ભણવા જાય ત્યારે” વગેરે જેવા સ્લોગ્ન-સૂત્રો,પ્લેકાર્ડ સાથેની આ રેલી એસ.ટી.ડેપો, જિલ્લા ન્યાયાલય, જૂની સબજેલ, સફેદ ટાવર-સ્ટેશન રોડ થઇ સરદાર ટાઉન હોલ ખાતે પહોંચીને ત્યાં તેનું સમાપન થયું હતું.

Read the Next Article

શ્રાવણના તૃતિય સોમવારે આદિ જ્યોતીર્લિંગ સોમનાથ મહાદેવને ચંદન શૃંગાર કરાયો

શ્રાવણના તૃતિય સોમવારે આદિ જ્યોતીર્લિંગ સોમનાથ મહાદેવને ચંદન શૃંગાર કરવામાં આવેલ ભક્તો મહાદેવના દર્શન પૂજન અર્ચન કરી ધન્ય બન્યા હતા. ભગવાન સોમનાથ મહાદેવને

New Update
vlcsnap-2025-08-11-19h51m22s297

શ્રાવણના તૃતિય સોમવારે આદિ જ્યોતીર્લિંગ સોમનાથ મહાદેવને ચંદન શૃંગાર કરવામાં આવેલ ભક્તો મહાદેવના દર્શન પૂજન અર્ચન કરી ધન્ય બન્યા હતા.

ભગવાન સોમનાથ મહાદેવને આજે ખાસ શ્રાવણી સોમવારને દિવસે વિશેષ ચંદન શૃંગાર કરવામાં આવેલો હતો. 

ચંદન શિતળતા પ્રદાન કરનનારૂ માનવામાં આવે છે, જેથી મહાદેવ વિશ્વ શાંતિ અને કલ્યાણના ભાવ સાથે આ ખાસ શૃંગાર પૂજારી વૃંદ દ્વારા તૈયાર કરવામાં આવેલ. સાથે જ વિવિધ પૂષ્પો ગુલાબ ગલગોટા મોગરા સહિતના ફુલો અને ફુલહારોનો ઉપયોગ કરવામાં આવેલ હતો. આજરોજ 45 ધ્વજાપૂજન તેમજ 62 સોમેશ્વર મહાપૂજન, 715 રૂદ્રાભિષેક પૂજા-પાઠ કરવામાં આવ્યો હતો.  જેનો લાભ લઇ ભક્તો ધન્ય બન્યા હતા.