સામનામાં શિવસેનાનો હુંકાર, મહારાષ્ટ્રમાં અજિત પવારની ‘ગેમ ઓવર’

New Update
સામનામાં શિવસેનાનો હુંકાર, મહારાષ્ટ્રમાં અજિત પવારની ‘ગેમ ઓવર’

સામનામાં કહેવામાં આવ્યું

હતું કે મહારાષ્ટ્રમાં જે કંઈ પણ થયું તે ચાણક્ય-ચતુરાઇ કે કોશિયારી સાહેબની હોંશિયારી કહેવી ભૂલ થશે. ધારાસભ્યોનું અપહરણ કરીને તેમને બીજા રાજ્યમાં કેદ રાખવા એ શું ચાણક્યની નીતિ છે? અજિત પવારની આખી રમત પૂરી

થઈ જ્યારે તેમણે કહ્યું કે શરદ પવાર આપણા નેતા છે અને હું રાષ્ટ્રવાદી છું. આ

હારની માનસિકતા છે.

મહારાષ્ટ્રમાં ચાલી

રહેલી રાજકારણની રમત સડક થી સંસદ

સુધી જોવા મળી રહી છે.

શિવસેનાએ પાર્ટીના મુખપત્ર સામનામાં ફરી એકવાર ભાજપ અને અજિત પવાર પર નિશાન

સાધ્યું છે. સામનામાં લખ્યું છે કે અંધ લોકોએ સત્તા માટે આત્મગૌરવ અને પ્રતિષ્ઠાનું

બજાર લગાવી રાખ્યું છે. એવા લોકો જેમનો મહારાષ્ટ્ર

સાથે કોઈ પણ પ્રકારનો ભાવનાત્મક લગાવ નથી, તેઓ શિવરાયના મહારાષ્ટ્રની

ઇજ્જત ધૂળમાં મિલાવી શકે છે.

સામનામાં લખ્યું

છે કે, મહારાષ્ટ્રની રચના અને

નિર્માણમાં, આ લોકોએ લોહી

તો છોડો પરસેવાનું એક ટીપું નહીં વહાવ્યું હોય, આવા લોકોએ અહીં રાજકીય

ગોટાળો કર્યો છે. શિવસેના, કોંગ્રેસ અને એનસીપીએ આ ત્રણેય પક્ષોએ મળીને રાજભવનમાં 162 ધારાસભ્યોનો સમર્થનપત્ર રજૂ કર્યો હતો. આ તમામ ધારાસભ્યો રાજભવન ખાતે રાજ્યપાલ સમક્ષ ઊભા રહેવા માટે તૈયાર છે. આટલી સ્પષ્ટ તસવીર

હોવા છતાં, રાજ્યપાલે કયા આધાર પર

દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યા?

રાતના અંધારામાં લોકશાહીની હત્યા

સામનામાં લખવામાં

આવ્યું કે આ લોકો (દેવેન્દ્ર ફડણવીસ-અજિત પવાર) એ

બનાવટી કાગળો રજૂ કર્યા અને બંધારણના રક્ષક ભગતસિંહ નામના રાજ્યપાલે તેમની આંખો

બંધ કરી અને તેમનો વિશ્વાસ કર્યો. ત્યારબાદ ત્રણેય પક્ષના ધારાસભ્યોએ તેમના સહી

કરેલા પત્રો રજૂ કર્યા હતા. આ અંગે ભગતસિંહ રાજ્યપાલનું શું કહેવું છે? એક ભગતસિંહે દેશની આઝાદી માટે ફાંસીના

ફંડાને ચૂમી લીધું, એતો આપણે જાણીએ છીએ. ત્યારે બીજા ભગતસિંહની સહીથી રાતના અંધારામાં લોકશાહી અને સ્વતંત્રતાને

કતલ સ્તંભ પર ચઢાવી દેવાયું.

સામનામાં કહેવામાં આવ્યું

હતું કે મહારાષ્ટ્રમાં જે કંઇ પણ થયું, તે 'ચાણક્ય-ચતુરાઇ' અથવા 'કોશ્યારી સાહેબની હોંશિયારી' કહેવામાં ભૂલ થશે. ધારાસભ્યોનું અપહરણ

કરીને તેમને બીજા રાજ્યમાં કેદ કરવા એ શું ચાણક્ય નીતિ છે?  અજિત

પવારની આખી રમત પૂરી થઈ ગઈ જ્યારે

તેમણે કહ્યું કે શરદ પવાર આપણા નેતા છે અને હું રાષ્ટ્રવાદી છું. આ હારની માનસિકતા

છે.

અજિત પવાર પર હુમલો કર્યો

સામનામાં અજિત પવારને

સંબોધન કરતાં લખ્યું છે કે, જો તમે શરદ પવારના

ભત્રીજા તરીકે ફરતા હો, તો તમારે બારામતી, ધારાસભ્ય પદ અને તમામ પક્ષના પદ પરથી

રાજીનામું આપીને પોતાનું અલગ રાજકારણ કરવું જોઈએ. પણ કાકાએ જે કમાયું છે તે ચોરી

કરીને 'હું નેતા છું, મારો પક્ષ' કહેવું ગાંડપણની હદ છે.

સામનામાં શરદ પવારના વખાણ

રાષ્ટ્રવાદી કોંગ્રેસ

પાર્ટીના પ્રમુખ શરદ પવારના સામનામાં વખાણ

કરવામાં આવ્યા છે. સામનામાં લખ્યું છે કે શરદ પવારે બે વાર કોંગ્રેસ છોડી અને હિંમતથી પોતાનો નવો પક્ષ બનાવ્યો. સંસદીય

રાજકારણમાં 50 વર્ષ સુધી રહેવું સરળ નથી. તે ઘણી ગરમી, વરસાદ અને તોફાનો સહન

કરીને ઊભા રહ્યા. પરંતુ ભાજપ દ્વારા કેસ દાખલ કરવામાં આવતા અને ઇડીના નામ પર બ્લેકમેઇલ

થતાંની સાથે જ અજિત પવારે શરદ પવારની રાજકીય વસાહતમાં ખાડો ખોદ્યો અને ત્યાંનો માલ ચોરી ભાજપના જુથમાં જતાં રહ્યા.

ધારાસભ્ય પોતાને બજારમાં વેચવા તૈયાર છે

સામનામાં લખ્યું

છે કે, કોઈએ પણ સરકાર બનાવે. જેની પાસે બહુમતી છે તેને આ અધિકાર છે, પરંતુ આ માટે બંધારણ, રાજભવન અને સરકારના નિયમોની અવગણના ન કરવી

જોઈએ, જેથી આ સંસ્થાઓ પર થી લોકોનો વિશ્વાસ ઉઠી જાય.

જો દેવેન્દ્ર ફડણવીસ પાસે

બહુમતી હોત, તો બહુમતીના આંકડા બનાવવા

માટે નવા 'ઓપરેશન કમળ' ની શું જરૂર હતી? તે ચોકડીનો એક સભ્ય તો સીધો જ કહે છે, 'બજારમાં ધારાસભ્યો પોતાને

વેચવા તૈયાર છે.'