Connect Gujarat
ગુજરાત

સુરત : કોઝવેમાં ન્હાવા પડેલા 7 કિશોરો પૈકી  1 કિશોરનું ડૂબી જવાથી મોત

સુરત : કોઝવેમાં ન્હાવા પડેલા 7 કિશોરો પૈકી  1 કિશોરનું ડૂબી જવાથી મોત
X

કોઝવેમાં ન્હાવા પડેલા 7 કિશોરો પૈકી 1 કિશોરનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. બીજી તરફ બનાવની જાણ થતાં ફાયર કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને અલગ અલગ ટીમ બનાવી કિશોરની શોધખોળ હાથ ધરી હતી.

ગરમીના કારણે સહારા દરવાજા ખાતે રહેતા 7 કિશોરો કોઝવે સ્થિત નહાવા ગયા હતા. જેમાં 7 પૈકીનો એક 17 વર્ષીય હસમુખ નાયકા ડૂબી ગયો હતો. 17 વર્ષીય કિશોરને તરતા ન આવડતા તે ડૂબી ગયો હોવાનું જાણવા મળ્યું હતું, તો બીજી તરફ બનાવની જાણ થતાં ફાયર કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને કિશોરની શોધખોળ હાથ ધરી હતી કિશોરના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

Next Story