સુરત : ખાટીવાલા સ્કૂલની મનમાની, RTE હેઠળ વિદ્યાર્થીઓને એડમીશન ન મળતા વાલીઓમાં રોષ

New Update
સુરત : ખાટીવાલા સ્કૂલની મનમાની, RTE હેઠળ વિદ્યાર્થીઓને એડમીશન ન મળતા વાલીઓમાં રોષ

સુરત શહેરના ડુમસ વિસ્તારમાં આવેલ ખાટીવાલા સ્કૂલની મનમાની સામે આવી છે. જેમાં RTE મુજબ પસંદ કરેલ શાળા પ્રવેશ પત્ર મળ્યા બાદ પણ એડમિશન નહીં આપવામાં આવતું હોવાની ફરિયાદ ઉઠી છે.

સુરતમાં શાળાઓની મનમાની સતત વધી રહી છે, ત્યારે શહેરના ડુમસ વિસ્તારમાં આવેલી ખાટીવાલા સ્કૂલમાં RTE મુજબ વિદ્યર્થીઓને એડમીશન ન મળતા વાલીઓમાં રોષ જોવા મળ્યો છે. સરકાર દ્વારા RTE હેઠળ મુજબ  ગરીબ પરિવારના બાળકોને વિનામૂલ્યે એડમિશન ફાળવવામાં આવે છે, ત્યારે ખાટીવાલા સ્કૂલ દ્વારા એડમિશન ન અપાતું હોવાની રાવ સાથે વાલીઓ  જિલ્લા શિક્ષણ અધિકરીને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી.

વાલીઓએ વિરોધ પ્રદર્શન કરતાં જણાવ્યું હતું કે, સ્કૂલ દ્વારા મનમાની કરવામાં આવી રહી છે. 17 જેટલા વિદ્યાર્થીઓને ખાટીવાલા સ્કૂલ દ્વારા એડમિશન નથી અપાયું જેથી અમે રજૂઆત કરી છે. આવતીકાલે એડમિશનનો છેલ્લો દિવસ છે અને જો એડમિશન નહીં મળે તો અમારા સંતાનોનું એક વર્ષ બગડે તેમ છે. હાલ કામ ધંધો પણ બંધ છે રોજગાર ન હોવાના કારણે આર્થિક તંગી છે, જ્યારે RTE એડમિશનને લઈ શાળા દ્વારા મનમાની કરવામાં આવી રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

Read the Next Article

PM મોદીને નામીબિયાનું સર્વોચ્ચ નાગરિક સન્માન, રાષ્ટ્રપતિએ એવોર્ડથી કર્યા સન્માનિત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને નામિબિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન, 'Order of the Most Ancient Welwitschia Mirabilis'થી નવાજવામાં આવ્યા હતા. આ પુરસ્કારની સ્થાપના 1995

New Update
pm

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને નામિબિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન, 'Order of the Most Ancient Welwitschia Mirabilis'થી નવાજવામાં આવ્યા હતા. આ પુરસ્કારની સ્થાપના 1995 માં વિશિષ્ટ સેવા અને નેતૃત્વને માન્યતા આપવા માટે કરવામાં આવી હતી.

આ પુરસ્કારનું નામ ખૂબ જ દુર્લભ અને પ્રાચીન રણના છોડ વેલ્વિટ્શિયા મિરાબિલિસ પરથી રાખવામાં આવ્યું છે, જે ફક્ત નામિબિયામાં જ જોવા મળે છે. આ છોડને સંઘર્ષ, દીર્ધાયુષ્ય અને સ્થિરતાનું પ્રતીક માનવામાં આવે છે અને આ ભાવના આ સન્માન દ્વારા પ્રતિબિંબિત થાય છે.

તમને જણાવી દઈએ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને નામિબિયાના રાષ્ટ્રપતિ ડૉ. નેતુમ્બો નંદી-ન્દૈત્વ વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો થઈ હતી. આમાં ભારત-નામિબિયા સંબંધોની સમીક્ષા કરવામાં આવી હતી. બંને નેતાઓએ ડિજિટલ ટેકનોલોજી, સંરક્ષણ, સુરક્ષા, કૃષિ, આરોગ્ય, શિક્ષણ અને મહત્વપૂર્ણ ખનિજો જેવા ક્ષેત્રોમાં સહયોગ વિશે વિગતવાર ચર્ચા કરી હતી.પીએમ મોદીએ X પરની એક પોસ્ટમાં કહ્યું કે અમે વેપાર, ઉર્જા અને પેટ્રોકેમિકલ ક્ષેત્રોમાં પરસ્પર સંબંધોને વધુ મજબૂત બનાવવા અંગે પણ ચર્ચા કરી. પ્રધાનમંત્રી મોદીએ 'પ્રોજેક્ટ ચિત્તા'માં નામિબિયા તરફથી મળેલા સહયોગ બદલ ખાસ આભાર વ્યક્ત કર્યો.