Connect Gujarat
સમાચાર

અંકલેશ્વર અંસાર માર્કેટ પાસે અકસ્માતમાં બાઈક સવાર બે ના મોત,એક ગંભીર

અંકલેશ્વર અંસાર માર્કેટ પાસે અકસ્માતમાં બાઈક સવાર બે ના મોત,એક ગંભીર
X

અંકલેશ્વર અંસાર માર્કેટ પાસે ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો,જેમાં ગંભીર ઈજાઓના પગલે બાઈક સવાર બે યુવાનોના કરુણ મોત નીપજ્યા હતા,જયારે એક ની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યુ છે.

cbd0cf4b-dc87-4c60-8388-0eeebdad8228

અંકલેશ્વરના અંસાર માર્કેટમાં રહેતા અને આદર્શ માર્કેટ માં કામ કરતા દિપક વિશ્વજીત સિંગરોલા,ધીરેજા વિશ્રામદિન અને મનોજ ત્રણેય એક બાઈક પર સવાર થઇને તારીખ 9મી ની રાત્રે અંસાર માર્કેટ પાસેથી પસાર થઈ રહ્યા હતા.દરમિયાન તેજ રફ્તાર થી દોડતી ટ્રકના ચાલકે તેઓની બાઇકને જોરદાર ટક્કર મારતા બાઈક સવાર યુવાનો ફંગોળાય ગયા હતા.

સર્જાયેલા અકસ્માત માં ગંભીર ઈજાઓના કારણે દિપક સિંગરોલાનું ઘટના સ્થળ પર જ જયારે ધીરેન વિશ્રામદિન નું હોસ્પિટલમાં સારવાર દરમિયાન કરુણ મોત નિપજ્યા હતા.જયારે મનોજ ની હાલત ગંભીર જણાતા નાજુક હાલતમાં વધુ સારવાર માટે સુરત ખસેડવામાં આવ્યો છે.

અકસ્માત બાદ ટ્રક ચાલક ફરાર થઇ ગયો હતો,અંકલેશ્વર શહેર પોલીસે અકસ્માત નો ગુનો દર્જ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

Next Story