Connect Gujarat
ગુજરાત

નેત્રંગ ખાતે આદિવાસી ગૌરવ યાત્રાને સંબોધિત કરશે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી

નેત્રંગ ખાતે આદિવાસી ગૌરવ યાત્રાને સંબોધિત કરશે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી
X

પંડિત દીનદયાલ ઉપાધ્યાય જન્મ શતાબ્દી વર્ષ અંતર્ગત ભાજપ ગુજરાત પ્રદેશ દ્વારા આ વર્ષને ગરીબ કલ્યાણ વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યુ છે.

જેના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા આદિવાસી ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે.

આ યાત્રાની શરૂયાત તારીખ 7-2-17ના રોજ દક્ષિણ ગુજરાતના ઉનાઈ થી કરવામાં આવી હતી. આ યાત્રા ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષસ્થા હેઠળ કરવામાં આવી રહી છે. તારીખ 10મી ફેબ્રુઆરીના રોજ આ આદિવાસી ગૌરવ યાત્રા ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતેના આનંદા હોટલ કમ્પાઉન્ડ લાલ મંડોલી ખાતે આવી પહોંચશે. જયાં જીતુભાઇ વાઘાણી જનસભાને સંબોધશે.

આદિવાસી ગૌરવ યાત્રા ગુજરાતના વિવિધ આદિવાસી વિસ્તારોમાં ફરી તારીખ 18-2-2017ના રોજ પવિત્ર ધામ અંબાજીમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની ઉપસ્થિતિમાં પુર્ણાહુતી થશે.

Next Story