ભરૂચ : દુષ્કર્મના કિસ્સામાં કેન્ડલ માર્ચ નહિ, નરાધમોને સીધી મારો ગોળી
હૈદરાબાદમાં મહિલા સાથે સામુહિક દુષ્કર્મ
બાદ તેને જીવતી સળગાવી દેવાની ઘટનાએ સમગ્ર દેશના લોકોમાં આગ જલાવી છે ત્યારે
તેલંગણા પોલીસે ચારેય આરોપીને ઠાર મારતાં પોલીસની કામગીરીની ઠેર ઠેર સરાહના થઇ રહી
છે
દેશમાં વધી રહેલા દુષ્કર્મના બનાવોના
કારણે લોકોમાં રોષ ભભુકી ઉઠયો છે. દેશમાં દર વખતે દુષ્કર્મની ઘટના બાદ કેન્ડલ
માર્ચ કરી કડકમાં કડક કાયદાની માંગ કરાઇ છે પણ કાયદો લોકસભા અને રાજયસભાની
ગલિયારીઓમાં અટવાઇ જતો હોય છે. હૈદરાબાદમાં બનેલી સામુહિક દુષ્કર્મ બાદ લોકોનો રોષ
જવાળામુખી બની ચુકયો હતો ત્યારે હૈદરાબાદ પોલીસે દુષ્કર્મના ચારે આરોપીને ઠાર
મારતાં લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહયો છે. ભરૂચની યુવતીઓએ તેમની
પ્રતિક્રિયામાં જણાવ્યું છે કે, દુષ્કર્મના કિસ્સામાં કેન્ડલ માર્ચ કાઢવાને બદલે નરાધમોને સીધી ગોળી મારી
દેવામાં આવે તો જ મહિલાઓ, બાળકીઓ અને
યુવતીઓ સલામતીનો અનુભવ કરશે