રાજકોટ લોકસભા ભાજપના ઉમેદવાર મોહન કુંડારિયા વિરૂધ્ધ નોંધાઈ ફરિયાદ,
BY Connect Gujarat12 April 2019 5:15 PM GMT
X
Connect Gujarat12 April 2019 5:15 PM GMT
કલેકટર તપાસના અંતે કરશે રીપોર્ટ
રાજકોટમા ગુરૂવારના રોજ કિસાનસંઘના નેજા હેઠળ મંજુરી વગર પાક વિમા મુદ્દે સંમેલન અને રેલી કાઢવામા આવી હતી. જે બાદ રાજકોટ લોકસભા ભાજપના ઉમેદવાર મોહન કુંડારીયાએ ખેડૂતોને મનાવવા પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પરંતુ આ પ્રેસ કોન્ફરન્સ તેમણે રાજકોટના રેસકોર્ષ રીંગ રોડ સ્થિત મેયર બંગલે કરી હતી. જેના કારણે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા ભાજપના ઉમેદવાર મોહન કુંડારીયા વિરૂધ્ધ આચારસંહિત ભંગની ફરિયાદ નોંધાવી હતી. જે મામલે કલેકટર રાહુલ ગુપ્તાએ મિડીયા સાથેની વાતચીતમા જણાવ્યુ હતુ કે મોહન કુંડારીયા વિરુધ્ધ ફરિયાદ મળી છે. જેની તપાસ એઆરઓ કક્ષાના અધિકારી કરી રહ્યા છે. તપાસ પુર્ણ થયે રીપોર્ટ તૈયાર કરવામા આવશે.
Next Story