વાઘોડિયા : માંડોધર ગોરજ રોડ પર અજાણ્યા વાહનની અડફેટે બાઇકસવાર યુવાનનું કરૂણ મોત
BY Connect Gujarat10 Jun 2019 4:34 PM GMT
X
Connect Gujarat10 Jun 2019 4:34 PM GMT
વાઘોડિયાના માંદોઘર ગોરજ રોડ પર અજાણ્યા વાહનની અડફેટે બાઇકસવાર યુવાનનું કરૂણ મોત નિપજ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર વાઘોડિયાના માંદોઘર ગોરજ રોડ પરથી બાઇક લઇને પસાર થઇ રહેલા શીવાભાઇ પરમારને કોઇ અજાણ્યા વાહને અડફેટે આવતા શીવાભાઇને માથાના ભાગે થયેલી ગંભીર ઇજાઓના પગલે તેઓનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. બાઈક ચાલક શીવાભાઈ વાઘોડિયા તાલુકાના ઈંટોલીના રહેવસી હોવાનું જાણવા મળ્યું છે.
ઘટનાની જાણ થરા ૧૦૮ એમ્બ્યુલન્સ તેમજ વાઘોડિયા પોલિસ ઘટના સ્થળે પહોંચી જઇ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. ઘટનાને પગલે લોકટોળા ઘટના સ્થળે એકત્ર થયા હતા.
Next Story