Connect Gujarat
ગુજરાત

સુરત : મેઘરાજાએ મનપાની ખોલી પોલ, રસ્તે પડેલ ખાડાના કારણે રીક્ષા પલટી

સુરત : મેઘરાજાએ મનપાની ખોલી પોલ, રસ્તે પડેલ ખાડાના કારણે રીક્ષા પલટી
X

સુરત શહેરના કતારગામ વિસ્તારમાં એક રીક્ષા અચાનક પલટી મારી ગઈ હતી. રીક્ષામાં સવાર 3 લોકોને રાહદારીઓએ બહાર કાઢ્યા હતા. ઘટનામાં સદનસીબે કોઈ પ્રકારની જાનહાની થવા પામી ન હતી.

[playlist type="video" ids="109851"]

છેલ્લા બે દિવસથી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કર્યા બાદ સુરત શહેર મહા નગરપાલિકાની પોલ ખોલી છે. સુરત શહેરના રસ્તાઓમાં ઠેર ઠેર ખાડા જોવા મળી રહ્યા છે, ત્યારે ખાડાઓના કારણે વિવિધ સ્થળોએ અકસ્માતોના બનાવ પણ સામે આવ્યા છે.

સુરત શહેરના કતારગામ વિસ્તારમાં રસ્તે પડેલ ખાડાના કારણે એક રીક્ષા ચાલકની રીક્ષા એકાએક પલટી મારી ગયી હતી. રીક્ષા પલટી થઈ જતા રાહદારીઓએ દોડી જઈ રીક્ષામાં સવાર 2 યુવક અને 1 મહિલાને બહાર કાઢ્યા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની થવા પામી ન હતી. પરંતુ આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી.

Next Story