Connect Gujarat
ગુજરાત

૧૪ માસની બાળકી ઉપર બળાત્કાર ગુજારના૨ને શોધી જેલભેગો કરતી અંકલેશ્વર શહેર પોલીસ

૧૪ માસની બાળકી ઉપર બળાત્કાર ગુજારના૨ને શોધી જેલભેગો કરતી અંકલેશ્વર શહેર પોલીસ
X

અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનમાં ગઈ તા- ૧૨/૭/૨૦૧૯ કલાક ૨૧/૦૦ થી તા-૧૩/૭/૧૯ના કલાક 0૫/૦૦ દરમ્યાન નવા કાંસિયા ગામના બસ સ્ટેશન પાસે નાળુ બનાવવાનું કામ ચાલતુ હોય જે બનાવવા આવેલ મજુરો રોડની સાઈડ ઉપ૨ ઝુપડાં બનાવી રહેતા હોય જેમાંથી એક મજુરની આશરે ૧૪ માસની છોકરીને કોઈ ઈસમ દ્વારા બદ્કામ ક૨વાના ઈરાદે ઝુપડામાંથી અપહ૨ણ કરી લઈ જવાયાની ફરીયાદ બાળકીની માતા દ્વારા નોંધાવવામાં આમી હતી.

આ બનાવમાં બાળકીની માતાએ ફરીયાદ આપતા બનાવ ખુબજ ગંભી૨ અને સમાજને કલંકીત કરે તેવો હોય અને ખુબજ ક્રુ૨ કૃત્ય કરેલ હોય જેથી ભરૂચ પોલીસ અધિક્ષક ત૨ફથી આ બનાવને ગંભીરતાથી લઈ આ ગુનો શૉધી કાઢવા સુચના આપેલ હતી.

જે આઘારે નાયબ પોલીસ અધિક્ષક ઝાલાની સુચના તથા માર્ગદર્શન હેઠળ અંકલેશ્વ૨ શહે૨ પોલીસ સ્ટેશન તથા એલ.સી.બી ભરૂચની સયુક્ત ટીમ બનાવી સદર ગુનાની તપાસ હાથ ધરવામાં આવેલ જે દરમ્યાન પ્રથમ ભોગ બનના૨ બાળકીને જોનારઆનંદ નામની વ્યક્તિ ઉપ૨ શક જતા તેની પુછપ૨છ કરતા પોતાના નિવેદનમાં એક ખોટી કહાની બનાવી નિવેદન લખાવેલ હોવાનું જણાતું હોય.તેની સઘન પુછપ૨છ કરતા તેના નિવેદનમાં જણાવેલ ઈસમોની પણ ઉડાણ પુર્વક પુછપ૨છ કરતા શકમંદ તથા બીન ઈસમોના નિવેદનમાં ઘણો તફાવત જણાયો હતો.

જેથી પોલીસે શકમંદ ઈસમને વિશ્વાસમાં લઈ યુક્તિ પ્રયુક્તિથી પુછપ૨છ કરી નેવેદન લેતા પોતે હવસની ભુખમાં આ કૃત્ય કરેલાનું જણાવી ગુનાની કબુલાત કરેલ છે. આ ઘટનામાં આરોપી આનંદભાઇ અમશસીંગ વસાવા હાલરહે- અમરતપરા ટેકરી ફળીયું તા-અંકલેશ્વ૨ જી.ભરૂચ મુળ રહે- હરીપુરા તા-ડેડીયાપાડા, જી.નર્મદાએ સામો૨ ગામની સીમમાં અમરાવતી ખાડી કિનારે સ્મશાન આવેલ હોય જ્યાં લઈ જઈ ૧૪ માસની બાળકી સાથે બળાત્કાર ગુજારી તેને ત્યાંજ મુકી ભાગી ગયેલ હોવાની કબુલાત પણ કરી હતી. જેથી તેને આ ગુનાના કામે અટક કરી પોલીસે આગળની કાર્યવાહી તપાસ હાથ ધરેલ છે.

Next Story