/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/12/unnamed-4.jpg)
રાજકોટના કાગવડ ગામ ખાતે ખોડલધામ મંદિરના પ્રાણપ્રતિસ્થા મહોત્સવ પ્રસંગ નું ભાવભર્યું આમંત્રણ આપવા માટે રથ યાત્રા તારીખ 4 ડિસેમ્બરના રોજ અંકલેશ્વર જીઆઇડીસી ખાતે આવી પહોંચી હતી.
રાજકોટ ના કાગવડ ખાતે સમસ્ત લેઉવા પટેલ સમાજ ના ખોડલધામ મંદિરમાં વિવિધ દેવી ઓ ની પ્રતિમાઓ ની પ્રાણપ્રતિષ્ઠા આગામી તારીખ 21મી જાન્યુઆરી 2017ના રોજ યોજાનાર છે.આ ધર્મભીના પ્રસંગના આમંત્રણ અર્થે ખોડલધામ ખાતે થી તારીખ 21મી નવેમ્બર ના રોજ રથ યાત્રા કાઢવામાં આવી હતી.
જે રથયાત્રા તારીખ 4 ડિસેમ્બર રવિવારના રોજ અંકલેશ્વર જીઆઇડીસી ખાતે આવી પહોંચતા ભરૂચ જિલ્લા ખોડલધામ સમિતિ દ્વારા રથયાત્રનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યુ હતુ , અને સ્કુટર તેમજ કાર રેલી યોજીને રથયાત્રા જીઆઇડીસી ના વિવિધ વિસ્તારમાં ફરીને નવજીવન ગરબા ગ્રાઉન્ડ ખાતે પૂર્ણ થઇ હતી.
આ પ્રસંગે ખોડલધામ સમિતિ દ્વારા રથ ની આરતી પણ કરવામાં આવી હતી,અને તારીખ 21મી જાન્યુઆરી ના રોજ યોજાનાર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ માં ઉપસ્થિતિ રહેવા માટે સૌને આમંત્રણ પાઠવવા માં આવ્યુ હતુ.