અંકલેશ્વર અમરતપુરા ગામ ખાતેથી દિપડો પાંજરે પુરાયો હતો.છેલ્લા ઘણા સમયથી દીપડાએ દેખા ડેટા ગ્રામજનો દ્વારા વન વિભાગ ને રજૂઆત કરવામાં આવી હતી

અંકલેશ્વરના અનેક ગામોમાં દીપડાને જોવા મળી હતી ત્યારબાદ વન વિભાગ દ્વારા અનેક સીમો અથવા ખેતરોમાં પાંજરા ગોઠવામાં આવ્યા હતા ત્યારબાદ અમરતપરા સીમ ખાતે પણ પાંજરું મુકવામાં આવ્યું હતું ત્યારબાદ ગત રાત્રિના રોજ અમૃતપરાની સીમમાં દીપડો પાંજરે પુરાયો હતો.આ અંગેની જાણ વનવિભાગને કરવામાં આવતા વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને દીપડાને સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવાની તજવીજ હાથ ધરી છે