ભરૂચની કે.જે.પોલિટેકનિક કોલેજમાં વિદ્યાર્થીઓને પડતી વિવિધ મુશ્કેલીઓ મામલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના નેજા હેઠળ કોલેજના આચાર્યને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

ભરૂચની કે.જે.પોલિટેકનિક કોલેજમાં છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીઓને પીવાનું પાણી મળતું નથી. તેમજ વોશરૂમની સાફ-સફાઈ થતી નથી, અને વોશરૂમમાં પણ પાણી આવતું નથી. આ સાથે જ દરરોજ ક્લાસરૂમની સફાઈ કરવામાં આવે, કેમ્પસમાં રહેલા કચરાના ઢગલાનો યોગ્ય નિકાલ કરવામાં આવે, વિદ્યાર્થીઓને રમત-ગમત માટે મેદાનની સાફ-સફાઈ કરાવવામાં આવે સહિતની માગણીઓને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના નેજા હેઠળ કોલેજના આચાર્યને આવેદન પત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.

