એસીપીસી ઈજનેરી પ્રવેશ પ્રક્રિયામાં આજથી પિન વિતરણ શરુ

New Update
એસીપીસી ઈજનેરી પ્રવેશ પ્રક્રિયામાં આજથી  પિન વિતરણ શરુ

રાજ્યની ઈજનેરી કોલેજોમાં આજથી પિન વિતરણ ચાલુ કરવામાં આવ્યું છે. ત્યારે ગતવર્ષ કરતાં આ વર્ષે ડિગ્રી એંજિનિયરિંગ અને ફાર્મસીમાં પણ ગત વર્ષ કરતાં આ વર્ષે એંજિનિયરિંગમાં વધુ બેઠકો ખાલી રહે તેવી પરિસ્થિતી સર્જાઈ છે. ત્યારે ગત વર્ષે 30000 જેટલી ડિગ્રી એંજિનિયરિંગની બેઠકો ખાલી રહી હતી.

આ વર્ષે એસીપીસી દ્વારા ઇજનેરી કોલેજ માં પ્રવેશ વિતરણ માટે 20 મી થી પિન વિતરણ રાજ્ય ની 137 ઇજનેરી કોલેજ ની 60937 જેટલી સીટો માટે અને ડિગ્રી અને ડિપ્લોમા ની 80 કોલેજ ની 5795 બેઠકો માટે 21 મી થી રજીસ્ટ્રેશન શરૂ થશે acpc ની વેબસાઈટ પર તમામ માહિતી ઉપલબ્ધ કરવામાં આવશે. આ મામલે એસીપીસીના ડીન જી.પી વડોદરિયાએ માહિતી આપતા જણાવ્યુ હતું કે એસીપીસીના 86 હેલ્પસેન્ટરો પર દરેક વિદ્યાર્થીઓએને માહિતી મળી શકશે ખાસ કરીને કોઈ પણ એજન્ટની વાતોમાં આવવું નહીં તથા 21 તારીખથી બીફાર્મ ડિગ્રીના પિન વિતરણ ચાલુ કરવામાં આવશે.

Read the Next Article

ગુજરાતમાં કોંગ્રેસ હવે "દૂધ સત્યાગ્રહ" નામે એક મોટું આંદોલન કરશે શરૂ, જુલાઈ 28 ના રોજ આણંદથી પ્રારંભ

ગુજરાતમાં કોંગ્રેસ હવે "દૂધ સત્યાગ્રહ" નામે એક મોટું આંદોલન શરૂ કરવાની તૈયારીમાં છે, જેનો પ્રારંભ જુલાઈ 28 ના રોજ આણંદથી થશે. આ આંદોલનમાં રાહુલ ગાંધી પણ જોડાઈ શકે છે.

New Update
Conn

ગુજરાતમાં કોંગ્રેસ હવે "દૂધ સત્યાગ્રહ" નામે એક મોટું આંદોલન શરૂ કરવાની તૈયારીમાં છે, જેનો પ્રારંભ જુલાઈ 28 ના રોજ આણંદથી થશે. આ આંદોલનમાં રાહુલ ગાંધી પણ જોડાઈ શકે છે.

કોંગ્રેસનો મુખ્ય હેતુ દૂધ ઉત્પાદકોને સબસિડી આપવાની માંગણી, દૂધ સંઘની ચૂંટણીઓમાં ભાજપ દ્વારા લાગુ કરાતી મેન્ડેટ પ્રથાનો વિરોધ, અને "ઉજળા દૂધના કાળા કારોબાર" સામે અવાજ ઉઠાવવાનો છે. કોંગ્રેસનો આરોપ છે કે ભાજપના નેતાઓ અને મિલ્ક માર્કેટિંગ ફેડરેશન મળીને દરરોજ સવા કરોડ લિટર દૂધ રાજ્ય બહારથી લાવી રહ્યા છે અને ડેરી ભરતીઓમાં ભ્રષ્ટાચાર થાય છે. આણંદના મહાસંમેલન બાદ મહેસાણા અને સાબરકાંઠામાં પણ આ આંદોલન વિસ્તરશે.

દૂધ સત્યાગ્રહના મુખ્ય એજન્ડા

કોંગ્રેસના આ "દૂધ સત્યાગ્રહ" આંદોલન પાછળ કેટલાક મુખ્ય મુદ્દાઓ છે, જે રાજ્યના દૂધ ઉત્પાદકો અને ડેરી ઉદ્યોગને સીધી અસર કરે છે:

  • દૂધ ઉત્પાદકોને સબસિડી:કોંગ્રેસે પોતાના આગામી ચૂંટણી ઢંઢેરામાં દૂધ ઉત્પાદકોને સબસિડી આપવાના મુદ્દાને પ્રાથમિકતા આપવાની જાહેરાત કરી છે. આ આંદોલન દ્વારા સરકાર પર દૂધ ઉત્પાદકોને આર્થિક સહાય પૂરી પાડવા માટે દબાણ લાવવામાં આવશે.
  • ભાજપની મેન્ડેટ પ્રથા સામે લડત:દૂધ સંઘોની ચૂંટણીઓમાં ભાજપ દ્વારા લાગુ કરવામાં આવતી મેન્ડેટ પ્રથાનો કોંગ્રેસ સખત વિરોધ કરશે. કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે ભાજપ જ્યાં પણ પોતાના મેન્ડેટ આપશે, ત્યાં કોંગ્રેસ તેના વિરુદ્ધ ઉમેદવારોની પેનલ ઉભી રાખીને લોકશાહી ઢબે લડત આપશે. ખાસ કરીને, અમૂલની આગામી ચૂંટણીઓમાં પણ કોંગ્રેસ મેન્ડેટથી પેનલ ઉભી રાખશે તેવી જાહેરાત કરવામાં આવી છે. આ પગલું દૂધ સંઘોમાં લોકશાહી પ્રક્રિયા અને સ્વતંત્રતા સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્ય સાથે લેવાયું છે.