રાજ્યસભા સાંસદ અહમદભાઈ પટેલે પાઠવી રમજાન ઈદની શુભેચ્છા

New Update
રાજ્યસભા સાંસદ અહમદભાઈ પટેલે પાઠવી રમજાન ઈદની શુભેચ્છા

રાજ્યસભા સાંસદ અહમદભાઈ પટેલે રમજાન ઈદની શુભેચ્છા પાઠવતા જણાવ્યુ કે રમજાન ના પૂરા મહિના દરમ્યાન રાખવામાં આવેલ રોઝા-ઈબાદત અલ્લાહતઆલા કબૂલ ફરમાવે અને ખુશીના આ પર્વ દરમ્યાન ભાઈચારની ભાવના વધુ પ્રબળ બને તે માટે દુઆ ગુજારી હતી.

publive-image

તેમણે વધુમાં જણાવ્યુ હતું કે માનવીય મૂલ્યોની જતનમાં ધમૅ પરત્વે ની આસ્થા મહત્વનો ભાગ ભજવે છે. પ્રત્યેક મઝહબ- ધર્મ, પ્રેમ, ભાઇચારા અને સહિષ્ણુતાના પાઠ સમજાવે છે. ભારતીય સંસ્કૃતિ ભ્રાતૃભાવની ભાવનાને ઉજાગર કરે છે. સમાજમાં દરેક કોમ વચ્ચે ભાઈચારા અને કોમી એકતાની ભાવના બળવતર બની રહે અને સમુચિત રાષ્ટ્રના વિકાસમાં એ ભાવના સંગઠિત બને, તેવી ઈદના શુભપર્વે નિમિતે સવૅને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી.

Latest Stories