અમદાવાદ : રથયાત્રા ભલે ન નીકળી પણ શ્રધ્ધાનું જોવા મળ્યું ઘોડાપુર
BY Connect Gujarat23 Jun 2020 7:54 AM GMT
X
Connect Gujarat23 Jun 2020 7:54 AM GMT
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભલે ન નીકળી હોય પણ શ્રધ્ધાનું ઘોડાપુર જોવા મળ્યું હતું. હાઇકોર્ટમાંથી રથયાત્રાની મંજુરી મળવાની આશાએ સરકાર અને મંદિર પ્રશાસન તરફથી તમામ વ્યવસ્થા કરાય હતી. મંદિરમાં દર્શન માટે આવતાં દરેક શ્રધ્ધાળુનું થર્મલ ગનથી ચેકિંગ કરાયું હતું.
અમદાવાદમાં નીકળતી દેશની બીજી સૌથી મોટી રથયાત્રા પર ગુજરાત હાઇકોર્ટે રોક લાગવી દીધી છે. મંગળવારે અષાઢી બીજના રોજ મંદિરની અંદર રથયાત્રા કાઢવામાં આવી હતી. મંદિર પ્રસાશન અને સરકાર વચ્ચે બેઠકમાં નક્કી થયા મુજબ ભક્તોને સામાજિક અંતર સાથે મંદિરમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. મંદિરમાં પ્રવેશતા દરેક શ્રધ્ધાળુઓના શરીરનું તાપમાન માપવામાં આવ્યું હતું. દરેક ભાવિક ભકતને સેનીટાઇઝ થયા બાદ જ ભગવાનના દર્શન કરવાની મંજુરી આપવામાં આવી હતી.
Next Story