Connect Gujarat
ગુજરાત

અમદાવાદ : આજથી ત્રણ દિવસીય ફિલ્મ ફેસ્ટિવલનો પ્રારંભ

અમદાવાદ : આજથી ત્રણ દિવસીય ફિલ્મ ફેસ્ટિવલનો પ્રારંભ
X

પાલડીના ટાગોર હોલ ખાતે આ મહોત્સવનું આયોજન કરાયું

ભારત સરકારના

સુચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા અમદાવાદમાં આજથી ત્રણ દિવસીય ફિલ્મ મહોત્સવનો

પ્રારંભ થશે, જેમાં ગાંધીજી

પરની ફિલ્મો નિ:શુલ્ક દર્શાવવામાં આવશે. દેશમાં ઉજવાઈ

રહેલી ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિના ઉપલક્ષમાં શહેરીજનો માટે પાલડીના ટાગોર હોલ

ખાતે આ મહોત્સવનું આયોજન કરાયું છે.

અમદાવાદનાં કલેલક્ટર કે.કે. નિરાલાએ ગઇકાલે આ મહોત્સવ અંગે પત્રકાર પરિષદમાં આ અંગે માહિતી આપી હતી. અમદાવાદનાં કલેકટરે ટ્વિટ કરી જણાવ્યુ હતું કે ડાયરેકટરશ્રી, ફિલ્મ સમારોહ નવી દિલ્હીના ઉપક્રમે તા ૪ થી ૬ માર્ચ દરમ્યાન એક ભારત શ્રેષ્ઠ ભારત તથા પૂ.મહાત્મા ગાંધીજીના ૧૫૦ ની જન્મ જયંતી અંતર્ગત ફિલ્મોના પ્રદર્શન રાખવામાં આવનાર છે. ફિલ્મ સમારોહ ટાગોર હોલ ,અમદાવાદ ખાતે યોજાશે.

https://twitter.com/CollectorAhd/status/1234782712998907905?s=20

Next Story