અમદાવાદ: ભારે વરસાદના કારણે દીવાલ ધરાશાયી થતા 5 શ્રમજીવીઓ દટાયા, 3ના મોતથી અરેરાટી

ઓગણજ પાસે આવેલા દશેશ્વર ફાર્મની નજીક દીવાલ ધરાશાયી થતા 5 મહિલા શ્રમજીવીઓ દબાયા હતા જે પૈકી 3 શ્રમજીવી મહિલાના મોત નિપજ્યાં હતા.

New Update
અમદાવાદ: ભારે વરસાદના કારણે દીવાલ ધરાશાયી થતા 5 શ્રમજીવીઓ દટાયા, 3ના મોતથી અરેરાટી

અમદાવાદમાં વરસી રહેલ અનરાધાર વરસાદના કારણે આજે મોટી હોનારત સર્જાય હતી. ઓગણજ પાસે આવેલા દશેશ્વર ફાર્મની નજીક દીવાલ ધરાશાયી થતા 5 મહિલા શ્રમજીવીઓ દબાયા હતા જે પૈકી 3 શ્રમજીવી મહિલાના મોત નિપજ્યાં હતા.

Advertisment W3.CSS

અમદાવાદમાં ભારે વરસાદના કારણે આજે મોટી હોનારત સર્જાય હતી. વરસાદને કારણે ન્યૂ રાણીપ ઓવરબ્રિજ પર ભારે ટ્રાફિકજામ થયો હતો બીજી તરફ ઓગણજ પાસે આવેલા દશેશ્વર ફાર્મની નજીક દીવાલ ધરાશાયી થતા 5 મહિલા મજૂરો દટાયા હતાં. ફાયરબ્રિગેડની ટીમ દ્વારા તમામને બહાર કાઢી સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન શીતલબેન,વનિતાબેન અને કવિતાબેનનું સારવાર દરમ્યાન મોત થયું છે. જ્યારે અસ્મિતાબેન અને રિંકુબેન સારવાર હેઠળ છે.ઘટનાની ખબર મળતા સ્થાનિક પોલીસ તંત્ર અને એએમસીના પદાધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા એએમસીના વોટર વર્ક્સ કમિટીના ચેરમેન જતીન પટેલે જણાવ્યું કે અમારા ફાયર વિભાગને કોલ મળતા અહીં પહોંચ્યા હતા અને જે લોકો દટાયા હતા તેને સરકારી હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે અને જે દીવાલ ધરાશાયી થઇ છે જો કોઈ પણ બેદરકાર હશે તો એએમસી કાર્યવાહી કરશે