અમદાવાદ : પ્લાઝમા અનુસંધાન કેન્દ્ર દ્વારા અનોખી પદયાત્રા યોજાય, રસ્તે આવતા કચરાના જથ્થાને એકત્ર કરાયો...

અમદાવાદ શહેરમાં આવેલ પ્લાઝમા અનુસંધાન કેન્દ્ર દ્વારા સ્વછતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું,

New Update
અમદાવાદ : પ્લાઝમા અનુસંધાન કેન્દ્ર દ્વારા અનોખી પદયાત્રા યોજાય, રસ્તે આવતા કચરાના જથ્થાને એકત્ર કરાયો...

અમદાવાદ શહેરમાં આવેલ પ્લાઝમા અનુસંધાન કેન્દ્ર દ્વારા સ્વછતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, આ યાત્રા દરમ્યાન રસ્તામાં વચ્ચે આવતા કચરાના જથ્થાને એકત્ર કરવામાં આવ્યો હતો.

દેશભરમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત અનેક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે, ત્યારે અમદાવાદ સ્થિત પ્લાઝમા અનુસંધાન કેન્દ્ર દ્વારા પખવાડિક ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે 3 કિલોમીટર સ્વછતા પદયાત્રા યોજવામાં આવી હતી. અનુસંધાન કેન્દ્રના અધિકારીઓ અને કર્મચારીઓ આ પદયાત્રામાં જોડાયા હતા. આ પદયાત્રા દરમ્યાન રસ્તામાં વચ્ચે આવતા કચરાને એકત્ર કરવામાં આવ્યો હતો. પીએમ મોદીનો મંત્ર છે "સ્વચ્છ ભારત, તંદુરસ્ત ભારત", ત્યારે આ મંત્રને સાર્થક કરવા માટે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે જ અમદાવાદની અનેક સરકારી સંસ્થાઓ દ્વારા અલગ અલગ થીમ આધારિત વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

Read the Next Article

અમદાવાદ : ગાઝાના પીડિત તરીકે ઢોંગ કરીને દાન ઉઘરાવતી સિરિયન ગેંગનો પર્દાફાશ, એકની ધરપકડ

આરોપી 23 વર્ષીય અલી મેધાત અલઝહેર છે, જે સીરિયાના દમાસ્કસનો રહેવાસી છે અને હાલ અમદાવાદના એલિસબ્રિજની હોટેલ રીગલ રેસીડેન્સીમાં રોકાયો હતો...

New Update
  • ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા

  • સિરિયન નાગરિકની કરી અટકાયત

  • ગાઝા પીડિત હોવાનો કરતો હતો ઢોંગ

  • ભારતની મસ્જિદોમાંથી દાન એકત્ર કરતો

  • રાજ્ય અને કેન્દ્રીય એજન્સીઓ દ્વારા તપાસ

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક સિરિયન નાગરિકની અટકાયત કરી છેજે કથિત રીતે ગાઝા યુદ્ધનો પીડિત હોવાનો ઢોંગ કરીને ભારતના વિવિધ શહેરોની મસ્જિદોમાંથી દાન એકત્ર કરતો હતો.

અમદાવાદ ક્રાઈમ બ્રાંચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભા પહેલા ગાઝાના પીડિત નાગરિક તરીકે ઢોંગ કરીને મસ્જિદોમાંથી પૈસા ઉઘરાવતી સિરિયન ગેંગનો પર્દાફાશ કર્યો છે. આરોપી 23 વર્ષીય અલી મેધાત અલઝહેર છેજે સીરિયાના દમાસ્કસનો રહેવાસી છે અને હાલ અમદાવાદના એલિસબ્રિજની હોટેલ રીગલ રેસીડેન્સીમાં રોકાયો હતો. પોલીસે જણાવ્યું કે અલઝહેર ટૂરિસ્ટ વિઝા પર ભારતમાં પ્રવેશ્યો હતો અને અમદાવાદ પહોંચતા પહેલા તેણે અનેક રાજ્યોમાં પ્રવાસ કર્યો હતોજ્યાં તેણે મસ્જિદોની મુલાકાત લીધી હતી અને પોતે વિસ્થાપિત ગાઝા નિવાસી હોવાનો દાવો કરીને નાણાકીય સહાય માંગી હતી.

ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ જણાવ્યું કે પૂછપરછ દરમિયાન તેણે કબૂલ્યું હતું કે તેણે ગાઝા સંઘર્ષના પીડિત તરીકે દાન એકત્ર કર્યું હતું અને તે પૈસાનો ઉપયોગ લક્ઝુરિયસ જીવનશૈલી જીવવા માટે કરતો હતો. તેના શરીર પર છાતીમાં ઈજાના નિશાન પણ મળ્યા હતાજેને તેણે યુદ્ધમાં લડતા થયેલી ઈજા ગણાવી હતી.

પોલીસ પૂછપરછ દરમિયાનઅલઝહેરે શરૂઆતમાં માત્ર અરબી ભાષા જાણવાનો ઢોંગ કર્યો હતો. તેણે ખુલાસો કર્યો કે તેના જેવા અન્ય ઘણા લોકો પણ ભારતમાં પ્રવેશ્યા છેપરંતુ તેની અટકાયત થતાં જ તેઓ છુપાઈ ગયા છે. તેની પ્રવૃત્તિઓ અત્યંત શંકાસ્પદ છે અને તેની રાજ્ય અને કેન્દ્રીય એજન્સીઓ દ્વારા સંયુક્ત રીતે તપાસ કરવામાં આવી રહી છે.