અમદાવાદ: રસ્તે જઈ રહેલ મહિલાને રખડતા ઢોરે ફાંગોળી,જુઓ CCTV

અમદાવાદમા વધુ એક વખત રખડતા ઢોરે મહિલાણે શિંગડે ભેરવી ફાંગોળી ડેટા તેને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.

New Update
અમદાવાદ: રસ્તે જઈ રહેલ મહિલાને રખડતા ઢોરે ફાંગોળી,જુઓ CCTV

અમદાવાદમા વધુ એક વખત રખડતા ઢોરે મહિલાણે શિંગડે ભેરવી ફાંગોળી ડેટા તેને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.

અમદાવાદમાં રખડતાં ઢોરના કારણે લોકો જે રીતે પરેશાન થઈ રહ્યા છે એ ખૂબ જ દયનીય પરિસ્થિતિ ગણી શકાય.કારણ કે કોર્ટની ટકોર બાદ પણ શહેરમાં રખડતાં ઢોરના કારણે અનેક માસૂમો ઈજાગ્રસ્ત થઈ રહ્યા છે. તેમાં પણ ખાસ કરીને અમદાવાદ શહેરના પૂર્વ ભાગમાં અનેક રખડતાં ઢોરના કારણે મહિલાઓ ઇજાગ્રસ્ત બની છે. જેમાં થોડા સમય પહેલાં એક સિનિયર સિટિઝન મહિલાનું મોત નીપજ્યું હતું. ત્યારે વધુ એક ચોંકાવનારા સીસીટીવી સામે આવ્યા છે. જેમાં ઢોર એક મહિલાને શિંગડે ભરાવી ફંગોળે છે અને તે નીચે પટકાય છે. મહિલાને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હોવાની વિગતો સામે આવી રહી છે.અમદાવાદના હરિઓમનગરમા રહેતી પાર્વતી કાલરિયા દુપટ્ટો લેવા જઈ રહ્યી હતી તે દરમ્યાન લવકુશ બંગ્લા પાસે ગાય તેને શિંગડું ભરાવીને નીચે પટકી હતી જેના કારણે ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.

Latest Stories
Read the Next Article

ગુજરાતી ફિલ્મ નિર્માતા મહેશ જીરાવાલાનું પ્લેન ક્રેશમાં મોતની પુષ્ટિ, પરિવારે મૃતદેહ સ્વીકાર્યો

વિમાન દુર્ઘટના બાદ ગુમ થયેલા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં પરિવાર માનવા તૈયાર નહોતો કે, તે મૃતદેહ મહેશનો છે. જ્યારે હવે ફિલ્મમેકરના મૃત્યુની પુષ્ટિ થઈ છે

New Update
Mahesh Jirawala

અમદાવાદથી લંડન જઈ રહેલા એર ઇન્ડિયાનું વિમાન 12 જૂને દુર્ઘટનાગ્રસ્ત થઈ બી.જે મેડિકલ હોસ્ટેલમાં ક્રેશ થયું હતું. જે દુર્ઘટનામાં 280થી વધુ લોકોના મૃત્યુ થયા છે. આ દુર્ઘટનામાં મૃતકોની ઓળખ માટે ડીએનએ મેચ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. વિમાન દુર્ઘટના બાદ ગુમ થયેલા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં પરિવાર માનવા તૈયાર નહોતો કેતે મૃતદેહ મહેશનો છે. જ્યારે હવે ફિલ્મમેકરના મૃત્યુની પુષ્ટિ થઈ છેત્યારે પરિવારને તેમનો મૃતદેહ સોંપવામાં આવ્યો છે.

અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ ફિલ્મમેકર મહેશ જીરાવાલા ગુમ હોવાનું સામે આવ્યું હતું. જ્યારે મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં તેમનું મૃત્યુ નીપજ્યું હોવાને લઈને પરિવાર માનવા તૈયાર નહોતો.

સમગ્ર મામલે પોલીસે સળગેલા એક્ટિવાના એન્જિન-ચેસીસ નંબર, સીસીટીવી સહિતના પુરાવા એકઠા કરીને મૃતકના પરિવારને માહિતી આપી હતી.આમ હવે જીરાવાલાના મોતની પુષ્ટિ થઈ છે, ત્યારે પરિવારે મહેશ જીરાવાલાનો મૃતદેહ સ્વીકાર્યો છે.

અમદાવાદના નરોડ વિસ્તારમાં રહેતા 34 વર્ષીય ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટર મહેશ ગીરધરભાઈ કાલાવાડિયા ઉર્ફે જીરાવાલ ઘરથી નીકળ્યા હતા અને શાહીબાગ સિવિલ હોસ્પિટલની નજીકમાં ગુમ થયા હતા. આ મામલે કાર્તિકએ પોતાનો ભાઈ ગુમ થયાની નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ટેકનિકલ સોર્સ સહિતની પોલીસ તપાસમાં મહેશ વિમાન દુર્ઘટનામાં ભોગ બન્યો હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ પરિવાર આ વાતને માનવા તૈયાર ન હતો. જ્યારે દુર્ઘટનાગ્રસ્ત સ્થળેથી લેવામાં આવલા મૃતદેહ સાથે મહેશના પરિવારજનો DNA મેચ થતાં અને પોલીસે જરૂરી પુરાવા રજૂ કરતા અંતે મહેશનું મોત નીપજ્યું હોવાની પુષ્ટિ થઈ છે.

Latest Stories