અમદાવાદ: અરવિંદ કેજરીવાલે ટાઉન હૉલ કાર્યક્રમમાં ગુજરાતને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવાની આપી ખાતરી

આપ સંયોજક અરવિંદ કેજરીવાલનોઅમદાવાદમાં યોજાયો ટાઉન હૉલ કાર્યક્રમ, ગુજરાતને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવાની આપી ખાતરી

New Update
અમદાવાદ: અરવિંદ કેજરીવાલે ટાઉન હૉલ કાર્યક્રમમાં ગુજરાતને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવાની આપી ખાતરી

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ બે દિવસ ગુજરાતના પ્રવાસે ત્યારે આજ ગુજરાત પ્રવાસન અંતિમ દિવસે સિંધુ ભવન રોડ પર ટાઉન હોલ કાર્યક્રમ યોજીને ગુજરાતને દિલ્હીની જેમ ભ્રષ્ટાચાર મુક્ત બનાવવાની વધુ એક ગેરંટી આપી છે.

આમ આદમી પાર્ટીના સુપ્રીમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસના બીજા દિવસે આજે અમદાવાદમાં ગુજરાતની જનતાને દિલ્હીની જેમ ગુજરાતને પણ ભ્રષ્ટાચારમુકત બનાવવાની ગેરંટી આપી હતી. અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે હું કેટલાક મહિનાઓથી ગુજરાતમાં ફરી રહ્યો છું અને લોકોને મળી રહ્યો છું, ખેડૂતો, વકીલો, રિક્ષાચાલકોને મળું છું. ગુજરાતમાં એટલો ભ્રષ્ટાચાર છે કે કોઈપણ સરકારી કામ માટે પૈસા આપવા પડે છે. જો તેમની સામે બોલો તો ધમકાવે છે. દરોડા અને ધંધા બંધ કરાવી દેવાની ધમકીઓ આપે છે.

આજે અમે ગેરંટી આપીએ છીએ કે આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો ભ્રષ્ટાચારમુક્ત અને ભયમુક્ત શાસન આપીશું. ગુજરાતમાં દરેક જગ્યા પર પૈસા વિના કામ થતું નથી.પણ આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો તમામ કામ પૈસા વિના અને સરકારી અધિકારી તમારા ઘરે આવીને સરકારી કામકાજ કરે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.

Read the Next Article

'મહિલાઓએ રાતની પાર્ટીઓમાં જવું નહીં, રેપ-ગેંગરેપ થઈ શકે છે' : અમદાવાદમાં બેનર લાગતાં વિવાદ, જુઓ પોલીસે શું કહ્યું..!

પોસ્ટર સોશિયલ મીડિયામાં વાઈરલ થતા વિવાદ થયો હતો. અંતે પોલીસે આ પોસ્ટર હટાવી સતર્કતા ગ્રુપ સામે જાણવા જોગ ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી

New Update
  • મહિલાઓએ રાત્રે પાર્ટીમાં જવું નહીંના પોસ્ટરનો મામલો

  • રેપ થઈ શકેના પોસ્ટર લાગતાં શહેર પોલીસ સજ્જ થઈ

  • પોલીસે વિવિધ વિસ્તારોમાંથી 8થી વધુ બેનર્સ જપ્ત કર્યા

  • સતર્કતા ગ્રુપ સામે પોલીસે નોંધી છે જાણવા જોગ ફરિયાદ

  • તપાસના અંતે ગુનો દાખલ કરાશે : ઇન.DCP સફીન હસન

અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાંમહિલાઓએ રાતની પાર્ટીઓમાં જવાનું નહીંરેપ-ગેંગરેપ થઈ શકે છે” તેવા પોસ્ટર લગાડવામાં આવ્યા હતા. જોકેઆ પોસ્ટર સોશિયલ મીડિયામાં વાઈરલ થતા વિવાદ થયો હતો. અંતે પોલીસે આ પોસ્ટર હટાવી સતર્કતા ગ્રુપ સામે જાણવા જોગ ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદ શહેરના સોલા વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ ટ્રાફિક પોલીસના સહકારથી સતર્કતા ગ્રુપ નામની સામાજિક સંસ્થાએ ટ્રાફિક અવેરનેસના બેનર લગાવ્યા હતા. આ સાથે કેટલાક વિવાદિત બેનર પણ લગાવ્યા હતા. જેમાંમહિલાઓએ રાત્રે પાર્ટીમાં જવું નહીંગેંગ રેપ થઈ શકે છે”, “અંધારામાં સુમસામ જગ્યાએ રંગલીને લઈ જવાની નહીંરેપ-ગેંગરેપ થઈ શકે છે”, આ પ્રકારના વિવાદિત બેનર ટ્રાફિક પોલીસના સહયોગથી લાગ્યા હોવાથી વિવાદ થયો હતો. જેને લઈને ગતરોજ તમામ વિવાદિત બેનર ઉતારી લેવામાં આવ્યા હતા. જે બાદ પોલીસ દ્વારા ખુલાસો પણ આપવામાં આવ્યો છે.

ઝોન-1ના ઇન્ચાર્જDCP સફીન હસને જણાવ્યું હતું કેશહેર પોલીસે ઝડપથી કાર્યવાહી કરી શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી 8થી વધુ બેનર્સ જપ્ત કરી લીધા છે.'સતર્કતા ગ્રુપનામનીNGOએ ટ્રાફિક પોલીસની મંજૂરી લીધી હતી. પરંતુ તે માત્ર ટ્રાફિક જાગૃતિના સંદેશાઓ માટે હતી. જેમાં હેલ્મેટ પહેરવામોબાઈલ ફોન પર વાત ન કરવી અને રોંગ સાઈડ પર ન જવુંજેવા મુદ્દાઓનો સમાવેશ થતો હતો.

NGOએ ટ્રાફિક અવેરનેસના નિયમોની બહાર જઈ મહિલાઓની સુરક્ષા પર પ્રશ્નાર્થ ઉભા કરતા આવા વિવાદાસ્પદ બેનર્સ કોઈપણ અધિકારી કેટ્રાફિક પોલીસ કર્મચારીના ધ્યાને મુક્યા વગર લગાવ્યા હતા. વધુમાં ટ્રાફિક પોલીસે સ્પષ્ટ કહ્યું છે કેતેમને આ વિવાદાસ્પદ બેનર્સ સાથે કોઈ લેવા દેવા નથી.

વધુમાં સતર્કતાNGOએ આ બેનર્સ શા માટે લગાડ્યા છેતે જાણવા માટે અમદાવાદ શહેરના સોલા પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ જાણવાજોગની તપાસ દરમિયાન એ શોધવામાં આવશે કેશું કોઈની પરવાનગી લીધી હતી કે નહીંત્યારે હવે તપાસના અંતે સતર્કતા ગ્રુપ સામે ગુનો નોંધવામાં આવી શકે છે તેમ અમદાવાદ શહેર પોલીસે જણાવ્યુ હતું.

Latest Stories