અમદાવાદ: CNGના ભાવો ફાટીને ધુમાડે થયા,15 દિવસમાં 8 રૂપિયાનો વધારો

કારમી મોંઘવારીએ માઝા મૂકી છે છે ત્યારે પેટ્રોલ ડીઝલ બાદ હવે ગેસના ભાવો પણ બેકાબૂ બની રહ્યા છે.

New Update
અમદાવાદ: CNGના ભાવો ફાટીને ધુમાડે થયા,15 દિવસમાં 8 રૂપિયાનો વધારો

કારમી મોંઘવારીએ માઝા મૂકી છે છે ત્યારે પેટ્રોલ ડીઝલ બાદ હવે ગેસના ભાવો પણ બેકાબૂ બની રહ્યા છે. સી.એન.જી.માં 15 દિવસમાં 8 રૂપિયાનો ભાવ વધારો થતા સામાન્ય વર્ગની હાલત કફોડી બની છે.

સતત ત્રણ દિવસથી પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો હતો જો કે આજે કોઈ વધારો થયો નથી પરંતુ આજે સીએનજી ના ભાવમાં વધારો થયો છે. અમદાવાદ સહિતના શહેરોમાં અદાણી ગેસ તરફથી સીએનજીના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આજે CNG માં 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

અમદાવાદ શહેરમાં 1 કિલોગ્રામ સીએનજીનો ભાવ 79.59 રૂપિયા હતો, જ્યારે નવો ભાવ 81.59 રૂપિયા થયો છે. ઉલ્લેખનીય છે કે 1 એપ્રિલના રોજ અદાણી ગેસ તરફથી સીએનજીના ભાવમાં એક સાથે પાંચ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. અઠવાડિયામાં જ ફરીથી ભાવમાં વધારો કરવામાં આવતા સીએનજી વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે. છેલ્લા 15 દિવસમાં CNGમાં 8.5 રૂપિયાનો વધારો થયો છે.

પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવારે છ વાગ્યે બદલાય છે.HPCL, BPCL અને IOC સવારે છ વાગ્યે નવો ભાવ લાગૂ કરે છે. તમે આ ભાવ તેમની વેબસાઇટ પર જઈને પણ જાણી શકો છો. પેટ્રોલ-ડીઝલની કિંમતમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ જોડાયા બાદ ભાવ લગભગ ડબલ થઈ જાય છે. પેટ્રોલ અને ડીઝલ એમજ ગેસના ભાવ વધતાં મોંઘવારીએ માઝા મૂકી છે. સરકાર આ બાબતે કોઈ પગલા ઉઠાવે એવી લોકો માંગ કરી રહ્યા છે.

Read the Next Article

અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ રદ, ટેકઓફ પહેલાં ખામી સર્જાઈ

અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ રદ કરવામાં આવી છે કારણ કે તેમાં ટેકઓફ પહેલાં ખામી સર્જાઈ હતી. જોકે, ફ્લાઇટ રદ થવાથી મુસાફરોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો

New Update
AMADAVAD PALIN RAD

ગયા અઠવાડિયે અમદાવાદમાં થયેલા ભયાનક વિમાન દુર્ઘટના બાદ, ઘણી સાવધાની રાખવામાં આવી રહી છે. અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ રદ કરવામાં આવી છે કારણ કે તેમાં ટેકઓફ પહેલાં ખામી સર્જાઈ હતી. જોકે, ફ્લાઇટ રદ થવાથી મુસાફરોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

વિમાન દુર્ઘટના પછી પહેલીવાર એર ઇન્ડિયાની ફ્લાઇટ (AI-159) લંડન જતી હતી, પરંતુ પ્રસ્થાન પહેલાં, ફ્લાઇટની તપાસ કરવામાં આવી અને તેમાં ટેકનિકલ ખામી જોવા મળી અને પછી તેને ફ્લાઇટ માટે રદ કરવામાં આવી. આ ફ્લાઇટ ક્યારે ઉડશે તે અંગે કોઈ માહિતી નથી. આ ફ્લાઇટ કાલે ઉડશે કે નહીં તે અંગે કંઈ કહેવામાં આવ્યું નથી.
પ્રાપ્ત માહિતી અનુસાર, ટેકઓફ પહેલાં ફ્લાઇટમાં ખામી જોવા મળી હતી, જેના પછી ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. જોકે, ફ્લાઇટ રદ થવાને કારણે ત્યાં હાજર ઘણા મુસાફરોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ ફ્લાઇટમાં મોટાભાગના લોકો રાજકોટ, આણંદ, હાલોલ, ખંભાતના મુસાફરો છે.

ફ્લાઇટ રદ કરવા અંગે મુસાફરોએ જણાવ્યું હતું કે એર ઇન્ડિયાની ટીમે જણાવ્યું હતું કે ફ્લાઇટ રદ કરવામાં આવી છે. AI 171 ને બદલે, હવે પ્લેનને AI 159 નંબર આપવામાં આવ્યો છે.પ્રાપ્ત માહિતી અનુસાર, આ ફ્લાઇટ આજે બપોરે 1:10 વાગ્યે ઉપડવાની હતી. પરંતુ સવારથી ફ્લાઇટ મોડી પડી રહી હતી. જોકે, હવે ખામીને કારણે આ ફ્લાઇટ રદ કરવામાં આવી છે.ગયા અઠવાડિયે ગુરુવારે અમદાવાદના મેઘનગરમાં થયેલા વિમાન દુર્ઘટના બાદ, એર ઇન્ડિયાની ફ્લાઇટ્સને સતત નુકસાન થઈ રહ્યું છે.

Latest Stories