અમદાવાદ : ગેરકાયદે AC ગોડાઉનમાં લાગેલી આગ જીવલેણથી અફરાતફરી મચી,બે લોકોના નિપજ્યા મોત

અમદાવાદના જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલી જ્ઞાનદા સોસાયટીમાં ઘરમાં ગેરકાયદે ACના ગોડાઉનમાં લાગેલી આગની ઘટના જીવલેણ બની છે.

New Update
  • દર્દનાક આગની ઘટનાથી અફરાતફરી

  • ગેરકાયદે ACના ગોડાઉનમાં લાગી આગ

  • ACમાં ગેસ ભરવા રાખેલા બાટલામાં લાગી આગ

  • આગની ચપેટમાં આવ્યા અન્ય બાટલા

  • પ્રચંડ વિસ્ફોટ સાથે ફૂટ્યા બાટલા

  • ઘટનામાં મહિલા અને બાળકનું કરૂણ મોત

Advertisment

અમદાવાદના જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલી જ્ઞાનદા સોસાયટીમાં ઘરમાં ગેરકાયદે ACના ગોડાઉનમાં લાગેલી આગની ઘટના જીવલેણ બની છે.એસીમાં ગેસ ભરવા માટે રાખેલા બાટલામાં આગ ફાટી નીકળતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી.જેમાં મકાન માલિકની પત્ની અને દીકરાનાં જ મોત નિપજ્યા હતા.

અમદાવાદના જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલી જ્ઞાનદા સોસાયટીના એક ઘરમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી,જેમાં ઘરમાં ગેરકાયદે ACના ગોડાઉનમાં લાગેલી આગની ઘટના જીવલેણ સાબિત થઇ હતી.એસીમાં ગેસ ભરવા માટે રાખેલા બાટલામાં અચાનક કોઈક  કારણોસર આગ ફાટી નીકળી હતી.જોત જોતામાં ગોડાઉનમાં રાખવામાં આવેલા અન્ય બોટલો પણ આગની ચપેટમાં આવી જતા પ્રચંડ બ્લાસ્ટ થવા લાગ્યા હતા,જેના કારણે સ્થાનિક લોકોમાં  ફફડાટ વ્યાપી ગયો હતો.

આગ એટલી ભયાનક હતી કે દૂરથી જ આગની જવાળાઓ અને ધુમાડા નજરે પડ્યા  હતા.આ ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર બ્રિગેડની ટીમે આગ પર ભારે જહેમત બાદ કાબૂ મેળવ્યો હતો. આ દરમિયાન સમગ્ર ઘર સળગી ગયું હતું. તેમજ બે લોકો ફસાયા હતા. જેમાં મકાન માલિકના પત્ની ઉપરના માળે ફસાયા હોવાથી આગમા તેમનું મૃત્યુ થયું હતું. જ્યારે એક બાળકને ફાયર બ્રિગેડના જવાને જીવના  જોખમે બચાવીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.જોકે બાદમાં બાળકને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

બ્લાસ્ટ થતા આગે વિકરાળ બની અને આસપાસના વાહનોને પણ આગની ચપેટમાં લીધા હતા. આગમાં કેટલાક વાહનો પણ બળીને ખાક થઈ ગયા હતા.આ મામલે પોલીસ અને સ્થાનિક તંત્રએ પણ ઘટના સ્થળ પર પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી દીધી હતી.

Advertisment
Read the Next Article

અમદાવાદ: સાણંદમાં 19 વર્ષીય યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી

પાનના ગલ્લા ઉપર જ 19 વર્ષીય યુવકનેછરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. 19 વર્ષીય ભરત બળદેવભાઈ પટેલ જેની પ્રેમ સંબંધના કારણે હત્યાનિપજાવી કાઢવામાં આવી

New Update
Sanand Murder
અમદાવાદ ગ્રામ્યના સાણંદ વિસ્તારમાં 19 વર્ષીય યુવકનીહત્યા થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. સમગ્ર ઘટનાની જાણ સાણંદ GIDC પોલીસે તપાસ કરતાહત્યાનો આરોપી કાયદાના સંઘર્ષમાં આવેલો સગીર નિકળ્યો છે. જેણે પાનના ગલ્લા ઉપર જ 19 વર્ષીય યુવકનેછરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. 19 વર્ષીય ભરત બળદેવભાઈ પટેલ જેની પ્રેમ સંબંધના કારણે હત્યાનિપજાવી કાઢવામાં આવી છે.
Advertisment
મૃતક યુવક સાણંદ તાલુકાના જોલાપુર ગામમાં પાનનો ગલ્લોચલાવતો હતો. 21મી મેના રાત્રે મૃતક જ્યારે પાનના ગલ્લે બેઠો હતો ત્યારે સગીરયુવક ત્યા આવ્યો હતો. અને ગુટકા લેવાના બહાને મૃતક સાથે વાતચીત હાથ ઘરી હતી. મૃતકજ્યારે ગુટકા લેવા માટે બેધ્યાન થયો ત્યારે સગીરે તેની પાસે રહેલ છરીના 2-3 ઘા મૃતકની છાતીમાં ઝીંકી દીધા હતા.
આ ઘટના નજરે જોનાર વ્યક્તિઓએ તુરંત પોલીસને જાણ કરીને મૃતકનેપ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સારવાર માટે ખસેડ્યો હતો. જોકે ફરજ પર હાજર ડોક્ટરોએભરતને મૃત જાહેર કર્યો હતો. જેને લઈ સાણંદ GIDC પોલીસે ગુનો નોંધી તજવીજ હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીયછે કે મૃતક યુવકની પ્રેમ સંબંધમાં હત્યા કરવામાં આવી છે મૃતક ભરત અને સગીરની બહેન વચ્ચે છેલ્લા 2 વર્ષથી પ્રેમસંબંધ હતો અને અગાઉ 6 મહિના પહેલા જ સગીર યુવકે તેની બહેન સાથેના પ્રેમસંબંધ બાબતેમૃતક વચ્ચે માથાકૂટ થઈ હતી. જેમાં સગીર યુવકે તેની બહેન સાથે પ્રેમ સંબંધ ન રાખવાતેમજ વાતચીત ન કરવા માટે ધમકી આપી હતી.
Advertisment