અમદાવાદ : ગેરકાયદે AC ગોડાઉનમાં લાગેલી આગ જીવલેણથી અફરાતફરી મચી,બે લોકોના નિપજ્યા મોત

અમદાવાદના જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલી જ્ઞાનદા સોસાયટીમાં ઘરમાં ગેરકાયદે ACના ગોડાઉનમાં લાગેલી આગની ઘટના જીવલેણ બની છે.

New Update
  • દર્દનાક આગની ઘટનાથી અફરાતફરી

  • ગેરકાયદેACના ગોડાઉનમાં લાગી આગ

  • ACમાં ગેસ ભરવા રાખેલા બાટલામાં લાગી આગ

  • આગની ચપેટમાં આવ્યા અન્ય બાટલા

  • પ્રચંડ વિસ્ફોટ સાથે ફૂટ્યા બાટલા

  • ઘટનામાં મહિલા અને બાળકનું કરૂણ મોત

અમદાવાદના જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલી જ્ઞાનદા સોસાયટીમાં ઘરમાં ગેરકાયદેACના ગોડાઉનમાં લાગેલી આગની ઘટના જીવલેણ બની છે.એસીમાં ગેસ ભરવા માટે રાખેલા બાટલામાં આગ ફાટી નીકળતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી.જેમાં મકાન માલિકની પત્ની અને દીકરાનાં જ મોત નિપજ્યા હતા.

અમદાવાદના જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલી જ્ઞાનદા સોસાયટીના એક ઘરમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી,જેમાં ઘરમાં ગેરકાયદેACના ગોડાઉનમાં લાગેલી આગની ઘટના જીવલેણ સાબિત થઇ હતી.એસીમાં ગેસ ભરવા માટે રાખેલા બાટલામાં અચાનક કોઈક  કારણોસર આગ ફાટી નીકળી હતી.જોત જોતામાં ગોડાઉનમાં રાખવામાં આવેલા અન્ય બોટલો પણ આગની ચપેટમાં આવી જતા પ્રચંડ બ્લાસ્ટ થવા લાગ્યા હતા,જેના કારણે સ્થાનિક લોકોમાં  ફફડાટ વ્યાપી ગયો હતો.

આગ એટલી ભયાનક હતી કે દૂરથી જ આગની જવાળાઓ અને ધુમાડા નજરે પડ્યા  હતા.આ ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર બ્રિગેડની ટીમે આગ પર ભારે જહેમત બાદ કાબૂ મેળવ્યો હતો. આ દરમિયાન સમગ્ર ઘર સળગી ગયું હતું. તેમજ બે લોકો ફસાયા હતા. જેમાં મકાન માલિકના પત્ની ઉપરના માળે ફસાયા હોવાથી આગમા તેમનું મૃત્યુ થયું હતું. જ્યારે એક બાળકને ફાયર બ્રિગેડના જવાને જીવના  જોખમે બચાવીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.જોકે બાદમાં બાળકને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

બ્લાસ્ટ થતા આગે વિકરાળ બની અને આસપાસના વાહનોને પણ આગની ચપેટમાં લીધા હતા. આગમાં કેટલાક વાહનો પણ બળીને ખાક થઈ ગયા હતા.આ મામલે પોલીસ અને સ્થાનિક તંત્રએ પણ ઘટના સ્થળ પર પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી દીધી હતી.

Read the Next Article

PM મોદી 25-26 ઓગસ્ટે ગુજરાતની મુલાકાતે, 5477 કરોડનાં લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે

PM મોદીની સભાને લઈને સમગ્ર નિકોલ વિસ્તારને લાઇટિંગથી શણગારવામાં આવ્યો છે. સ્વચ્છતાની થીમ, ગણેશની થીમ સહિત વગેરે થીમના બેનરો લગાવવામાં આવશે..

New Update
PM modi gujarat

PM નરેન્દ્ર મોદી 25 અને 26 ઓગસ્ટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ અમદાવાદના નિકોલમાં ખોડલધામ ગ્રાઉન્ડમાં સાંજે 4:30 વાગ્યે 5477 કરોડનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. અમદાવાદ, મહેસાણા અને ગાંધીનગરના રેલવે, અર્બન ડેવલપમેન્ટ, રોડ ઇન બિલ્ડિંગ અને રેવન્યૂ સહિતના વિવિધ વિભાગોના કુલ 22 જેટલા પ્રોજેક્ટોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે. સાબરમતીથી કટોસણ રોડ ટ્રેન અને કાર લોડેડ ટ્રેનને વડાપ્રધાન દ્વારા લીલી ઝંડી આપવામાં આવશે.

તો બીજી તરફ PM મોદી નિકોલમાં જાહેરસભાને સંબોધન કરવાના છે, જેને પગલે AMC અને શહેર ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. નિકોલ વિસ્તારમાં PM મોદીની સભાને લઈને સમગ્ર નિકોલ વિસ્તારને લાઇટિંગથી શણગારવામાં આવ્યો છે. સ્વચ્છતાની થીમ, ગણેશની થીમ સહિત વગેરે થીમના બેનરો લગાવવામાં આવશે. આ ઉપરાંત PM મોદી એરપોર્ટથી ગાંધીનગર તરફ જાય ત્યારે એરપોર્ટ સર્કલથી લઈને ઇન્દિરાબ્રિજ સુધી અલગ અલગ 12 જેટલાં સ્ટેજ બનાવાશે, જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે.

ગુજરાત મુલાકાતનો PM મોદીનો કાર્યક્રમ:-

25 ઓગસ્ટ:-

4.00 વાગ્યે અમદાવાદ આવશે.

4.30 વાગ્યે નિકોલના ખોડલધામ ગ્રાઉન્ડમાં સભા

8.00 વાગ્યે ગાંધીનગર રાજભવનમાં રાત્રિ રોકાણ

26 ઓગસ્ટ

10.00 વાગ્યે હાંસલપુરમાં સુઝુકી મોટર્સના પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે

EVના બેટરી પ્લાન્ટના ઉદ્ઘાટન બાદ દિલ્હી જવા રવાના થશે

PM મોદી 5477 કરોડના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે:-

2801 કરોડના લોકાર્પણ (13 પ્રોજેક્ટ)

2676 કરોડના ખાતમુહૂર્ત (22 પ્રોજેક્ટ)

મહેસાણાથી પાલનપુરની 65 કિમી રેલ લાઈન ડબલીંગનું લોકાર્પણ

બેચરાજીથી રણુજા સુધી 40 કિમીની રેલ લાઈનના ગેજ કન્વર્ઝેશનનું લોકાર્પણ

વિરમગામના સોકલી નજીક રૂ. 70 કરોડના રેલ્વે અંડરબ્રિજનું ખાતમુહૂર્ત

વાડજના રામાપીર ટેકરા ખાતે 1,449 આવાસ તથા 130 દુકાનોનું લોકાર્પણ

SP રિંગ રોડને ફોરલેનમાંથી સિક્સ લેન બનાવવાના કામનું ખાતમુહૂર્ત