અમદાવાદ : GLS કોલેજમાં દલિત વિદ્યાર્થી સાથે થયેલ રેગિંગ મામલે જીગ્નેશ મેવાણી-NSUI દ્વારા હલ્લાબોલ કરાયો

અમદાવાદની GLS કોલેજમાં દલિત વિદ્યાર્થી સાથે થયેલા રેગિંગ મામલે દલિત નેતા જીગ્નેશ મેવાણી અને NSUI વિધાર્થી પાંખ દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો હતો.

New Update
અમદાવાદ : GLS કોલેજમાં દલિત વિદ્યાર્થી સાથે થયેલ રેગિંગ મામલે જીગ્નેશ મેવાણી-NSUI દ્વારા હલ્લાબોલ કરાયો

અમદાવાદની GLS કોલેજમાં દલિત વિદ્યાર્થી સાથે થયેલા રેગિંગ મામલે દલિત નેતા જીગ્નેશ મેવાણી અને NSUI વિધાર્થી પાંખ દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ અમદાવાદ ઝોન-1ના DCPને આવેદન પત્ર પાઠવી સમગ્ર મામલે યોગ્ય તપાસ થાય તે માટે રજૂઆત કરવામાં આવી હતી.

અમદાવાદની GLS કોલેજમાં થયેલા રેગિંગ મામલે NSUI વિદ્યાર્થી પાંખ અને દલિત નેતા જીગ્નેશ મેવાણી દ્વારા નવરંગપુરા પોલીસ સ્ટેશન બહાર હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ઝોન-1ના DCPને રૂબરૂ મળી આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. સમગ્ર મામલે ભોગ બનનાર વિધાર્થી અને તેના પરિવારનું કહેવું છે કે, તેમના દીકરા સામે ખોટી ફરિયાદ કરવામાં આવી છે. તે ઘરે જમતો હતો, ત્યારે તેને પકડી ગયા હતા. જે ફરિયાદી છે, તેની સામે જ ફરિયાદ કરી આરોપી બનાવી દીધો છે, ત્યારે જીગ્નેશ મેવાણીનું કહેવું છે કે, આ મામલે પોલીસ કમિશનરના નિવાસસ્થાને અથવા તેઓની કચેરીએ ધારણા કરવામાં આવશે

સમગ્ર મામલે DCP રવિન્દ્ર પટેલે જણાવ્યુ હતું કે, GLS કોલેજમાં વિદ્યાર્થી સાથે થયેલ રેગિંગ બાબતે કોલેજ સંચાલકો પાસેથી રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે, ત્યારે હવે રિપોર્ટ આવ્યા બાદ જ ફરિયાદ કરવામાં આવશે. જોકે, જે ફરિયાદી છે તેની સામે એક યુવતીએ કલમ 323 મુજબ ફરિયાદ નોંધાવી હતી, ત્યારે તે કેસમાં યુવકની ધરપકડ કરવામાં આવી છે. પરંતુ તેને ઘરેથી જમતા જમતા ઉપાડ્યો તે વાત તદ્દન ખોટી હોવાનું પણ DCP રવિન્દ્ર પટેલે જણાવ્યુ હતું.

Read the Next Article

અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ રદ, ટેકઓફ પહેલાં ખામી સર્જાઈ

અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ રદ કરવામાં આવી છે કારણ કે તેમાં ટેકઓફ પહેલાં ખામી સર્જાઈ હતી. જોકે, ફ્લાઇટ રદ થવાથી મુસાફરોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો

New Update
AMADAVAD PALIN RAD

ગયા અઠવાડિયે અમદાવાદમાં થયેલા ભયાનક વિમાન દુર્ઘટના બાદ, ઘણી સાવધાની રાખવામાં આવી રહી છે. અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ રદ કરવામાં આવી છે કારણ કે તેમાં ટેકઓફ પહેલાં ખામી સર્જાઈ હતી. જોકે, ફ્લાઇટ રદ થવાથી મુસાફરોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

વિમાન દુર્ઘટના પછી પહેલીવાર એર ઇન્ડિયાની ફ્લાઇટ (AI-159) લંડન જતી હતી, પરંતુ પ્રસ્થાન પહેલાં, ફ્લાઇટની તપાસ કરવામાં આવી અને તેમાં ટેકનિકલ ખામી જોવા મળી અને પછી તેને ફ્લાઇટ માટે રદ કરવામાં આવી. આ ફ્લાઇટ ક્યારે ઉડશે તે અંગે કોઈ માહિતી નથી. આ ફ્લાઇટ કાલે ઉડશે કે નહીં તે અંગે કંઈ કહેવામાં આવ્યું નથી.
પ્રાપ્ત માહિતી અનુસાર, ટેકઓફ પહેલાં ફ્લાઇટમાં ખામી જોવા મળી હતી, જેના પછી ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. જોકે, ફ્લાઇટ રદ થવાને કારણે ત્યાં હાજર ઘણા મુસાફરોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ ફ્લાઇટમાં મોટાભાગના લોકો રાજકોટ, આણંદ, હાલોલ, ખંભાતના મુસાફરો છે.

ફ્લાઇટ રદ કરવા અંગે મુસાફરોએ જણાવ્યું હતું કે એર ઇન્ડિયાની ટીમે જણાવ્યું હતું કે ફ્લાઇટ રદ કરવામાં આવી છે. AI 171 ને બદલે, હવે પ્લેનને AI 159 નંબર આપવામાં આવ્યો છે.પ્રાપ્ત માહિતી અનુસાર, આ ફ્લાઇટ આજે બપોરે 1:10 વાગ્યે ઉપડવાની હતી. પરંતુ સવારથી ફ્લાઇટ મોડી પડી રહી હતી. જોકે, હવે ખામીને કારણે આ ફ્લાઇટ રદ કરવામાં આવી છે.ગયા અઠવાડિયે ગુરુવારે અમદાવાદના મેઘનગરમાં થયેલા વિમાન દુર્ઘટના બાદ, એર ઇન્ડિયાની ફ્લાઇટ્સને સતત નુકસાન થઈ રહ્યું છે.