અમદાવાદ : GST ઘટાડવામાં નેતાઓ "FAIL", ટેકસટાઇલ માર્કેટો રહયાં બંધ

સુરતની સાથે સાથે અમદાવાદના ટેકસટાઇલ વેપારીઓ પર જીએસટીના વિરોધમાં રસ્તા પર ઉતર્યા હતાં....

New Update
અમદાવાદ : GST ઘટાડવામાં નેતાઓ "FAIL", ટેકસટાઇલ માર્કેટો રહયાં બંધ

સુરતની સાથે સાથે અમદાવાદના ટેકસટાઇલ વેપારીઓ પર જીએસટીના વિરોધમાં રસ્તા પર ઉતર્યા હતાં....

અમદાવાદ શહેરના ટેકસટાઇલ માર્કેટના વેપારીઓએ ગુરૂવારના રોજ બંધ પાળ્યો હતો. તારીખ પહેલી જાન્યુઆરીથી સરકાર કાપડ પર 7 ટકાના બદલે 12 ટકા જીએસટીની વસુલાત કરશે. ટેકસટાઇલ ઉદ્યોગ તરફથી સ્થાનિક નેતાઓને વારંવાર રજુઆત કરી જીએસટી ઓછો કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી પણ નેતાઓનું પણ સરકારમાં કઇ ઉપજયું નહિ. એક તરફ વેપારીઓ રજુઆતો કરતાં રહયાં અને બીજી તરફ જીએસટી કાઉન્સીલના અધિકારી જીએસટીમાં કરાયેલા વધારાના અમલીકરણ માટે મકકમ જણાયાં હતાં. અમદાવાદમાં મોટાભાગના ટેકસટાઇલ માર્કેટ બંધ રહયાં હતાં.

ટેકસટાઇલના વેપારીઓનું કેહવું છે કે અમે અમારી વાત જીએસટી કાઉન્સિલ સુધી પહોંચાડવાના પ્રયાસ કરી રહ્યા છીએ. જો 12 ટકા જીએસટી લાગુ થશે તો નાના વેપારીઓને મોટું નુકશાન થશે. કોરોનાને કારણે આમ પણ વેપાર ઠપ્પ હતા ત્યાં આ જીએસટી લાગુ કરતા અમે આર્થિક રીતે પાયમાલ થઇ જઇશું.

Read the Next Article

ગુજરાતી ફિલ્મ નિર્માતા મહેશ જીરાવાલાનું પ્લેન ક્રેશમાં મોતની પુષ્ટિ, પરિવારે મૃતદેહ સ્વીકાર્યો

વિમાન દુર્ઘટના બાદ ગુમ થયેલા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં પરિવાર માનવા તૈયાર નહોતો કે, તે મૃતદેહ મહેશનો છે. જ્યારે હવે ફિલ્મમેકરના મૃત્યુની પુષ્ટિ થઈ છે

New Update
Mahesh Jirawala

અમદાવાદથી લંડન જઈ રહેલા એર ઇન્ડિયાનું વિમાન 12 જૂને દુર્ઘટનાગ્રસ્ત થઈ બી.જે મેડિકલ હોસ્ટેલમાં ક્રેશ થયું હતું. જે દુર્ઘટનામાં 280થી વધુ લોકોના મૃત્યુ થયા છે. આ દુર્ઘટનામાં મૃતકોની ઓળખ માટે ડીએનએ મેચ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. વિમાન દુર્ઘટના બાદ ગુમ થયેલા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં પરિવાર માનવા તૈયાર નહોતો કેતે મૃતદેહ મહેશનો છે. જ્યારે હવે ફિલ્મમેકરના મૃત્યુની પુષ્ટિ થઈ છેત્યારે પરિવારને તેમનો મૃતદેહ સોંપવામાં આવ્યો છે.

અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ ફિલ્મમેકર મહેશ જીરાવાલા ગુમ હોવાનું સામે આવ્યું હતું. જ્યારે મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં તેમનું મૃત્યુ નીપજ્યું હોવાને લઈને પરિવાર માનવા તૈયાર નહોતો.

સમગ્ર મામલે પોલીસે સળગેલા એક્ટિવાના એન્જિન-ચેસીસ નંબર, સીસીટીવી સહિતના પુરાવા એકઠા કરીને મૃતકના પરિવારને માહિતી આપી હતી.આમ હવે જીરાવાલાના મોતની પુષ્ટિ થઈ છે, ત્યારે પરિવારે મહેશ જીરાવાલાનો મૃતદેહ સ્વીકાર્યો છે.

અમદાવાદના નરોડ વિસ્તારમાં રહેતા 34 વર્ષીય ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટર મહેશ ગીરધરભાઈ કાલાવાડિયા ઉર્ફે જીરાવાલ ઘરથી નીકળ્યા હતા અને શાહીબાગ સિવિલ હોસ્પિટલની નજીકમાં ગુમ થયા હતા. આ મામલે કાર્તિકએ પોતાનો ભાઈ ગુમ થયાની નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ટેકનિકલ સોર્સ સહિતની પોલીસ તપાસમાં મહેશ વિમાન દુર્ઘટનામાં ભોગ બન્યો હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ પરિવાર આ વાતને માનવા તૈયાર ન હતો. જ્યારે દુર્ઘટનાગ્રસ્ત સ્થળેથી લેવામાં આવલા મૃતદેહ સાથે મહેશના પરિવારજનો DNA મેચ થતાં અને પોલીસે જરૂરી પુરાવા રજૂ કરતા અંતે મહેશનું મોત નીપજ્યું હોવાની પુષ્ટિ થઈ છે.