અમદાવાદ: આડેધડ વાહન પાર્ક કરતા પહેલા ચેતી જજો, જુઓ શું થઈ શકે છે કાર્યવાહી

પોલીસ દ્વારા શહેરમાં ટ્રાફિક વિભાગની ટીમો દ્વારા આડેઘડ પાર્કિંગ કરી નાગરિકો ખરીદી કરવા જતા ના રહે તે અંગે વિશેષ ધ્યાન રાખવામાં આવશે.

New Update
અમદાવાદ: આડેધડ વાહન પાર્ક કરતા પહેલા ચેતી જજો, જુઓ શું થઈ શકે છે કાર્યવાહી

દિવાળીના પર્વને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે કોરોનાકાળ બાદ બે વર્ષ પછી હર્ષો ઉલ્લાસ સાથે લોકો દિવાળીની ખરીદી માટે રસ્તા પર મોટી સંખ્યામાં નીકળતા નજરે પડે છે. ત્યારે પોલીસ દ્વારા શહેરમાં ટ્રાફિક વિભાગની ટીમો દ્વારા આડેઘડ પાર્કિંગ કરી નાગરિકો ખરીદી કરવા જતા ના રહે તે અંગે વિશેષ ધ્યાન રાખવામાં આવશે. સાથે-સાથ 16 ક્રેન, 3000 ફોર વ્હિલર ક્લેમ, 5 સ્પીડ ગનનો ઉપયોગ કરી દંડાત્મક કાર્યવાહી કરશે. જે માટે અમદાવાદ ટ્રાફિક પોલીસના 2 DCP, 5 ACP, 9 PI, 15 PSI, 2293 ટ્રાફિક પોલીસકર્મી, 1800 TRB, 253 હોમગાર્ડની મદદથી ટ્રાફિક વ્યવસ્થા સાંભળવામાં આવશે.

અમદાવાદ ટ્રાફિક જોઈન્ટ કમિશનર મયંકસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, ટ્રાફિકની સમસ્યાથી નાગરિકોને પરેશાની ના થાય તે માટે અમે તૈયારી કરી છે. અમારી પાસે 3 હજાર કલેમ્પ,15 ક્રેઇન છે તેની મદદથી અમે રોડ પરના વાહનોને ટો કરવામાં આવશે. અમારી પાસે 5 હજાર કેમેરા છે જેમાંથી 2300 કેમેરા ટ્રાફિક માટેના છે. જ્યાં પણ ટ્રાફિક જામ થશે અને ખોટી રીતે પાર્ક કરનાર સામે પગલાં લેવામાં આવશે. સાથે જ સ્પીડમાં વાહન ચાલક માટે ગન સ્પીડર પણ છે

Read the Next Article

ગુજરાતી ફિલ્મ નિર્માતા મહેશ જીરાવાલાનું પ્લેન ક્રેશમાં મોતની પુષ્ટિ, પરિવારે મૃતદેહ સ્વીકાર્યો

વિમાન દુર્ઘટના બાદ ગુમ થયેલા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં પરિવાર માનવા તૈયાર નહોતો કે, તે મૃતદેહ મહેશનો છે. જ્યારે હવે ફિલ્મમેકરના મૃત્યુની પુષ્ટિ થઈ છે

New Update
Mahesh Jirawala

અમદાવાદથી લંડન જઈ રહેલા એર ઇન્ડિયાનું વિમાન 12 જૂને દુર્ઘટનાગ્રસ્ત થઈ બી.જે મેડિકલ હોસ્ટેલમાં ક્રેશ થયું હતું. જે દુર્ઘટનામાં 280થી વધુ લોકોના મૃત્યુ થયા છે. આ દુર્ઘટનામાં મૃતકોની ઓળખ માટે ડીએનએ મેચ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. વિમાન દુર્ઘટના બાદ ગુમ થયેલા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં પરિવાર માનવા તૈયાર નહોતો કેતે મૃતદેહ મહેશનો છે. જ્યારે હવે ફિલ્મમેકરના મૃત્યુની પુષ્ટિ થઈ છેત્યારે પરિવારને તેમનો મૃતદેહ સોંપવામાં આવ્યો છે.

અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ ફિલ્મમેકર મહેશ જીરાવાલા ગુમ હોવાનું સામે આવ્યું હતું. જ્યારે મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં તેમનું મૃત્યુ નીપજ્યું હોવાને લઈને પરિવાર માનવા તૈયાર નહોતો.

સમગ્ર મામલે પોલીસે સળગેલા એક્ટિવાના એન્જિન-ચેસીસ નંબર, સીસીટીવી સહિતના પુરાવા એકઠા કરીને મૃતકના પરિવારને માહિતી આપી હતી.આમ હવે જીરાવાલાના મોતની પુષ્ટિ થઈ છે, ત્યારે પરિવારે મહેશ જીરાવાલાનો મૃતદેહ સ્વીકાર્યો છે.

અમદાવાદના નરોડ વિસ્તારમાં રહેતા 34 વર્ષીય ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટર મહેશ ગીરધરભાઈ કાલાવાડિયા ઉર્ફે જીરાવાલ ઘરથી નીકળ્યા હતા અને શાહીબાગ સિવિલ હોસ્પિટલની નજીકમાં ગુમ થયા હતા. આ મામલે કાર્તિકએ પોતાનો ભાઈ ગુમ થયાની નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ટેકનિકલ સોર્સ સહિતની પોલીસ તપાસમાં મહેશ વિમાન દુર્ઘટનામાં ભોગ બન્યો હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ પરિવાર આ વાતને માનવા તૈયાર ન હતો. જ્યારે દુર્ઘટનાગ્રસ્ત સ્થળેથી લેવામાં આવલા મૃતદેહ સાથે મહેશના પરિવારજનો DNA મેચ થતાં અને પોલીસે જરૂરી પુરાવા રજૂ કરતા અંતે મહેશનું મોત નીપજ્યું હોવાની પુષ્ટિ થઈ છે.