અમદાવાદ : વાંસદાના ધારાસભ્ય પર થયેલા હુમલા મુદ્દે રાજનીતિ ગરમાઈ, કોંગ્રેસનું હલ્લાબોલ...

ગુજરાતમાં જેમ ચૂંટણી નજીક આવી રહી છે, તેમ રાજકારણ પણ ગરમાઇ રહ્યું છે. તેવામાં ગુજરાત કોંગ્રેસ વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પર હુમલો કરવામાં આવ્યો છે.

New Update
અમદાવાદ : વાંસદાના ધારાસભ્ય પર થયેલા હુમલા મુદ્દે રાજનીતિ ગરમાઈ, કોંગ્રેસનું હલ્લાબોલ...

નવસારી-વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પર થયેલા હુમલાને લઈ ગુજરાત કોંગ્રેસ આક્રમક બની છે, ત્યારે આ હુમલો ભાજપના ઇશારે થયો હોવાના આક્ષેપ સાથે અમદાવાદ કલેકટર કચેરી ખાતે શહેર કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

ગુજરાતમાં જેમ ચૂંટણી નજીક આવી રહી છે, તેમ રાજકારણ પણ ગરમાઇ રહ્યું છે. તેવામાં ગુજરાત કોંગ્રેસ વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પર હુમલો કરવામાં આવ્યો છે. કોંગી ધારાસભ્ય અનંત પટેલ ખેરગામમાં યોજાનાર કાર્યક્રમમાં હાજરી આપવા જઈ રહ્યા હતા. તે દરમિયાન હુમલો કરવામાં આવ્યો હતો. જે હુમલો ભાજપના કાર્યકર્તાઓ દ્વારા કરાયો હોવાનો ગુજરાત કોંગ્રેસે આક્ષેપ કર્યો છે, ત્યારે અમદાવાદમાં કોંગ્રેસ કાર્યકરો અને હોદ્દેદારો રેલી યોજી ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. "ભાજપ હોશ મે આઓ" અને "તાનાશાહી નહીં ચલેગી" જેવા સૂત્રોચાર સાથે રેલી કલેકટર કચેરી ખાતે પહોચી હતી. શહેર કોંગ્રેસ પ્રમુખ નિરવ બક્ષીએ જણાવ્યું હતું કે, ભાજપ ડરી ગઈ છે, અને અનંત પટેલ આદિવાસી નેતા છે. તેઓ વર્ષોથી સમાજના પ્રશનોને લઈ લડતા આવ્યા છે. રાજ્યમાં લોકશાહીનું ચિરહરણ કરવામાં આવી રહ્યું છે. આ એક હિચકારી કૃત્ય છે. ભાજપ સત્તાની મદમાં આવી ગયું છે. આમ અનંત પટેલ પર થયેલા હુમલાને લઈ રાજ્યમાં રાજનીતિ ગરમાઈ છે.

Read the Next Article

અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ રદ, ટેકઓફ પહેલાં ખામી સર્જાઈ

અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ રદ કરવામાં આવી છે કારણ કે તેમાં ટેકઓફ પહેલાં ખામી સર્જાઈ હતી. જોકે, ફ્લાઇટ રદ થવાથી મુસાફરોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો

New Update
AMADAVAD PALIN RAD

ગયા અઠવાડિયે અમદાવાદમાં થયેલા ભયાનક વિમાન દુર્ઘટના બાદ, ઘણી સાવધાની રાખવામાં આવી રહી છે. અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ રદ કરવામાં આવી છે કારણ કે તેમાં ટેકઓફ પહેલાં ખામી સર્જાઈ હતી. જોકે, ફ્લાઇટ રદ થવાથી મુસાફરોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

વિમાન દુર્ઘટના પછી પહેલીવાર એર ઇન્ડિયાની ફ્લાઇટ (AI-159) લંડન જતી હતી, પરંતુ પ્રસ્થાન પહેલાં, ફ્લાઇટની તપાસ કરવામાં આવી અને તેમાં ટેકનિકલ ખામી જોવા મળી અને પછી તેને ફ્લાઇટ માટે રદ કરવામાં આવી. આ ફ્લાઇટ ક્યારે ઉડશે તે અંગે કોઈ માહિતી નથી. આ ફ્લાઇટ કાલે ઉડશે કે નહીં તે અંગે કંઈ કહેવામાં આવ્યું નથી.
પ્રાપ્ત માહિતી અનુસાર, ટેકઓફ પહેલાં ફ્લાઇટમાં ખામી જોવા મળી હતી, જેના પછી ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. જોકે, ફ્લાઇટ રદ થવાને કારણે ત્યાં હાજર ઘણા મુસાફરોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ ફ્લાઇટમાં મોટાભાગના લોકો રાજકોટ, આણંદ, હાલોલ, ખંભાતના મુસાફરો છે.

ફ્લાઇટ રદ કરવા અંગે મુસાફરોએ જણાવ્યું હતું કે એર ઇન્ડિયાની ટીમે જણાવ્યું હતું કે ફ્લાઇટ રદ કરવામાં આવી છે. AI 171 ને બદલે, હવે પ્લેનને AI 159 નંબર આપવામાં આવ્યો છે.પ્રાપ્ત માહિતી અનુસાર, આ ફ્લાઇટ આજે બપોરે 1:10 વાગ્યે ઉપડવાની હતી. પરંતુ સવારથી ફ્લાઇટ મોડી પડી રહી હતી. જોકે, હવે ખામીને કારણે આ ફ્લાઇટ રદ કરવામાં આવી છે.ગયા અઠવાડિયે ગુરુવારે અમદાવાદના મેઘનગરમાં થયેલા વિમાન દુર્ઘટના બાદ, એર ઇન્ડિયાની ફ્લાઇટ્સને સતત નુકસાન થઈ રહ્યું છે.