Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : અખિલ ભારતીય શ્રી સ્વામી સમર્થ ગુરુપીઠનો સત્સંગ સમારોહ યોજાયો…

અખિલ ભારતીય શ્રી સ્વામી સમર્થ ગુરુપીઠ શ્રી ક્ષેત્ર ત્રયંમબકેશ્ર્વર નાસિક મહારાષ્ટ્ર દ્વારા અમદાવાદ શહેરના નિકોલ ઓડિટોરિયમમાં રાષ્ટ્રીય સત્સંગ અને સંસ્કાર અભિયાનબુ આયોજન કરવામાં આવ્યું હતું.

X

અખિલ ભારતીય શ્રી સ્વામી સમર્થ ગુરુપીઠ શ્રી ક્ષેત્ર ત્રયંમબકેશ્ર્વર નાસિક મહારાષ્ટ્ર દ્વારા અમદાવાદ શહેરના નિકોલ ઓડિટોરિયમમાં રાષ્ટ્રીય સત્સંગ અને સંસ્કાર અભિયાનબુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતભરમાંથી અનુયાયીઓ ઉપસ્થિત રહી ગુરુ નીતિન ભાઉની વાણીનો લાભ લઈ સંસ્કાર સિંચન વર્તનમાં ઉતારવાનો સંકલ્પ કર્યો હતો. ભારતને વિશ્ર્વ ગુરુ બનાવવા તમામ નાગરિકોએ આગળ આવી પોતાના કૌશ્લયનો મહત્તમ ઉપયોગ કરવો પડશે. બાળકોના ગર્ભ સમયે જ તેમાં સંસ્કારોનું સિંચન કરવું પડશે, તો જ ભાવિ પેઢીને વધુ મજબૂત કરી શકીશું તેવી નીતિન ભાઉએ વાત કરી હતી.

Next Story