Connect Gujarat
અમદાવાદ 

ભરૂચ: વિદ્યાર્થીઓને અપૂરતી બસ સેવાના કારણે હાલાકી,ઘેંટા-બકરાની જેમ મુસાફરોને બેસાડવામાં આવે છે

વિવિધ ગામોમાંથી અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓને અપૂરતી બસ સેવાના કારણે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે.

X

ભરૂચના વિવિધ ગામોમાંથી અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓને અપૂરતી બસ સેવાના કારણે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે ત્યારે વિદ્યાર્થીઓએ એસ.ટી.બસ ડેપોના મેનેજરને રજૂઆત કરવામાં આવી હતી

ભરૂચ જિલ્લાના પાલેજથી વાયા ઝંઘાર, નબીપુર થઈ ભરૂચ ખાતે એસ.ટી બસ મારફતે અભ્યાસ કરવા આવતા 100થી વધુ વિદ્યાર્થીઓની હાલત કફોડી બની છે. વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યા હતા કે સવારે પાલેજ ખાતે આવતી એસ.ટી બસમાં 56 લોકોની બેસવાની વ્યવસ્થા હોય છે જે બસમાં ડ્રાઇવર અને કન્ડકટર 100થી વધુ મુસાફરોને જોખમી રીતે બેસાડતા હોય છે.એસ.ટી બસમાં ક્ષમતા કરતા વધુ વિદ્યાર્થીઓ હોવાના કારણે બસમાં ખીચોખીચ હાલતમાં ઉભા રહી ભરૂચ અભ્યાસ માટે આવવું પડે છે.જે બાબતની અવારનવાર એસ.ટી બસ ડેપો મેનેજરને રજુઆત કરવામાં આવી હતી તેમ છતાં તેઓની આ સમસ્યાનો કોઈ ઉકેલ આજદિન સુધી આવ્યો ન હતો.આખરે આજરોજ વિધાર્થીઓએ ભરૂચના નવ નિર્માણ પામેલ બસ ડેપો ખાતે ડેપો મેનેજરને રજૂઆત કરી યોગ્ય પ્રમાણમાં બસની ફાળવણી કરવાની માંગ કરી હતી

Next Story