Connect Gujarat
ગુજરાત

આમોદઃ ગણેશ વિસર્જન પહેલા યુવાન તળાવમાં ડૂબ્યો હતો, આજે મળ્યો મૃતદેહ

આમોદઃ ગણેશ વિસર્જન પહેલા યુવાન તળાવમાં ડૂબ્યો હતો, આજે મળ્યો મૃતદેહ
X

રાણીપુરાનો આસાસ્પદ યુવાનનું નવા વાડિયા ગામે તળાવમાં ડૂબી જતાં થયું મોત

આમોદ તાલુકાના રાણીપુરા ગામનો યુવાનનું ગતરોજ નવા વાડિયા ગામે ગણેશ વિસર્જન પહેલાં જ તળાવમાં ડૂબી જતાં લાપતા બન્યો હતો. જેનો મૃતદેહ આજરોજ મલી આવતાં સ્થાનિક લોકોએ મૃતદેહ બહાર કાઢ્યો હતો.

આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આમોદ તાલુકાના રાણીપુરા ગામે ગતરોજ ગણેશ વિસર્જન હતું. જેનું નવા વાડિયા ખાતે આવેલા તળાવમાં વિસર્જન કરવાનું હતું. પરંતુ ગામમાંથી શ્રીજીને વાજતે ગાજતે તળાવ સુધી લાવે તે પહેલાં જ તળાવમાં સ્નાન ન્હાવા પડેલો વિજય સોમાભાઈ વસાવા નામનો 21 વર્ષિય આશાસ્પદ યુવક તળાવના ઉંડા પાણીમાં ગરકાવ થયો હતો.

ગામલોકોએ તેની મોડી સાંજ સુધી શોધખોળ આદરી હતી. પરંતુ અંધારૂં થઈ જતાં યુવાનનો કોઈ પત્તો લાગ્યો નહોતો. બીજી તરફ ભરૂચ ફાયર બ્રિગેડને પણ આ ઘટનાની જાણ કરાઈ હતી પરંતુ તેઓ પણ ન આવતાં આખરે બીજા દિવસે ગામલોકોએ તળામાં જાળ નાંખી યુવાનનો મૃતદેહ શોધી કાઢ્યો હતો. ગામલોકોએ યુવકનો મૃતદેહ બહાર કાઢી પીએમ અર્થે આમોદ રેફરલ હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. આમોદ પોલીસે અકસ્માત ગુનો નોંધી આગળની આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Next Story