ભરૂચ : 14 વર્ષની વયે મળ્યો KBCમાં જવાની તક, જુઓ અનમોલ શાસ્ત્રી કેટલા રૂપિયા જીત્યો

Update: 2020-12-15 11:03 GMT

સદીના મહાનાયક અમિતાભ બચ્ચનના કોન બનેગા કરોડપતિ શોમાં હોટ સીટ પર જવાની સૌ કોઇની ઇચ્છા હોય છે પણ આવી તક નસીબદારોને મળતી હોય છે. આવા જ નસીબદારો પૈકી એક એટલે ભરૂચનો 14 વર્ષીય અનમોલ શાસ્ત્રી.. અનમોલ શાસ્ત્રી કોન બનેગા કરોડપતિના જુનિયર શોમાં 25 લાખ રૂપિયા જીત્યો છે…….

મૂળ મધ્ય પ્રદેશ અને હાલ ભરૂચ જિલ્લાનાં દહેજની રિલાયન્સ કંપનીનાં સેફટી વિભાગ માં કામ કરતા કર્મચારીનાં પુત્ર અનમોલે આ સિદ્ધિ હાંસલ કરતા પરિવારજનો અને મિત્ર મંડળમાં ખુશીની લહેર જોવા મળી હતી. અનમોલ શાસ્ત્રીએ આ શો માં 25 લાખની રકમનો વિજેતા બન્યો હતો, તેમજ 50 લાખ માટે પૂછવામાં આવેલ એક સવાલનો અનમોલ પાસે યોગ્ય ઉત્તર ન હોવાના કારણે તેણે ગેમ છોડી દીધી હતી, જોકે અનમોલ શાસ્ત્રીની આટલી નાની વયની ઉંમરમાં આટલા અનુભવી સવાલોનાં જવાબો આપવાની સિદ્ધિને લોકોએ ચોતરફ વખાણી હતી. હાલ તો અનમોલ શાસ્ત્રીને ભરૂચ વાસીઓએ અનમોલ રત્નનું બિરૂદ પણ આપી દીધું છે.

Tags:    

Similar News