અમદાવાદ : પ્રજાસત્તાક પર્વ પહેલાં સુરક્ષા વ્યવસ્થામાં વધારો, પોલીસ કરશે સઘન ચેકીંગ

Update: 2020-01-25 15:20 GMT

અમદાવાદમાં

પ્રજાસત્તાક પર્વની ઉજવણી  દરમિયાન કોઇ

અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસતંત્ર સજજ બન્યું છે. 

પ્રજાસત્તાક

દિનની ઉજવણી શહેરમાં ઠેર ઠેર થવાની છે ત્યારે જે પ્રમાણે સીએએ અને એનઆરસીનો વિરોધ

થઇ રહ્યો છે તેને જોતા એસ.ઓ.જીની ટીમ કોઇ પણ પ્રકારની અઘટિત ઘટના રોકવા માટે સજજ

બની છે. પ્રજાસત્તાક પર્વના દિવસે  અમદાવાદ શહેરની દરેક હોટલો અને રેલવે

સ્ટેશન તથા બસ સ્ટેશન અને જાહેર સ્થળોએ સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દેવાશે. વાહનચેકિંગ સહિતની

અન્ય કામગીરી પણ કરવામાં આવશે. 

Tags:    

Similar News