અમદાવાદ: મોરબીના મૃતકોને શ્રધ્ધાંજલી અર્પણ કરવા CM ભુપેન્દ્ર પટેલની હાજરીમાં યોજાય પ્રાર્થના સભા

મોરબીની દુર્ઘટનામાં મૃત્યુ પામેલ લોકોના આત્માની શાંતિ માટે અમદાવાદમા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની હાજરીમાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું

Update: 2022-11-02 07:31 GMT

મોરબીની દુર્ઘટનામાં મૃત્યુ પામેલ લોકોના આત્માની શાંતિ માટે અમદાવાદમા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની હાજરીમાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

મોરબી દુર્ઘટનાને પગલે આજે રાજ્યવ્યાપી શોક જાહેર કરવામાં આવ્યો છે ત્યારે દિવંગત આત્માને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદ ટાઉનહોલ ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.AMC દ્વારા આયોજિત આ પ્રાર્થનાસભામાં રામધૂન અને ભજનોની પ્રસ્તુતિ સાથે દિવંગત આત્માને શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. ટાગોર હોલમાં ભાવભીનો માહોલ છવાઈ ગયો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબી દુર્ઘટનાના દિવંગતોને શોકમાં આજરોજ ૨ નવેમ્બરે ગુજરાતમાં રાજ્યવ્યાપી શોક પાળવામાં આવ્યો છે અમદાવાદના ટાઉન હોલ ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી પ્રદીપ પરમાર,અમદાવાદ શહેર મેયર કિરીટપરમાર, સ્થાનિક સાંસદ અને ધારાસભ્યોએ જોડાયા હતા

Tags:    

Similar News