અમદાવાદના બ્રેઇનડેડ યુવકનું હ્યદય મુંબઇમાં ધબકશે, પરિવારના અંગદાનના નિર્ણયથી 5 લોકોને મળશે નવજીવન

હ્યદયને પ્રત્યારોપણ માટે મુંબઇ સ્થિત હોસ્પિટલમાં અને બંને ફેફસાને ચેન્નાઇના જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ માટે ગ્રીન કોરિડોર મારફતે મોકલવામાં આવ્યા હતા.

Update: 2022-05-18 11:20 GMT

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રાજપૂત સમાજના બ્રેઇનડેડ ૩૨ વર્ષીય યુવકના અંગદાનથી ૬૧મું અંગદાન થયું છે. અમદાવાદના મણિનગર વિસ્તારમાં રહેતા સુમિત સિંહ રાજપૂતને માથાના ભાગમાં ગંભીર પ્રકારની ઇજા થતા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. ઇજા અત્યંત ગંભીર હોવાથી બે દિવસ જીંદગી અને મોત વચ્ચે ઝઝૂમ્યા બાદ આખરે હોસ્પિટલના તબીબો દ્વારા બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. બ્રેઇનડેડ સુમીતભાઇના પિતા, બહેન અને પત્નિએ અંગદાન માટે સંમતિ આપ્યા બાદ તેમને સિવિલ હોસ્પિટલના રીટ્રાઇવલ સેન્ટરમાં લઇ જવામાં આવ્યા. જ્યાં ૫ થી ૭ કલાકની ભારે જહેમત બાદ હૃદય, ફેફસા, બંને કિડની અને લીવર દાન મળ્યું છે.

જેમાં હ્યદયને પ્રત્યારોપણ માટે મુંબઇ સ્થિત હોસ્પિટલમાં અને બંને ફેફસાને ચેન્નાઇના જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ માટે ગ્રીન કોરિડોર મારફતે મોકલવામાં આવ્યા હતા.જ્યારે કિડની અને લીવર અમદાવાદ સિવિલ મેડિસીટી ની કિડની ઈન્સ્ટીટ્યૂટમાં પ્રત્યારોપણ માટે મોકલવામાં આવ્યા. સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષી કહે છે કે, ૬૧ મું અંગદાન અમારા સેવાયજ્ઞમાં મહત્વનું બની રહ્યું છે. સુમિત સિંહ રાજપૂતના પિતા અને તેમના સમગ્ર પરિવારજનોને અંગદાન માટે આપેલા સહયોગના પરિણામે જરૂરિયાતમંદ ૫ વ્યક્તિઓને નવજીવન આપવામાં સફળતા મળી છે. મારા યુવાન દિકરા ના અંગો સમાજના અન્ય કોઇ જરૂરિયાતમંદને મદદરૂપ બને. મારો દિકરો હવે જીવંત નથી પરંતુ અન્યોમાં તેના અંગોનું પ્રત્યાર્પણ થઇને તેમને નવજીવન મળ્યું છે.મારા દિકરાના અંગો જે વ્યક્તિઓમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યા છે પ્રભુ તેમને દીર્ધાયુ બક્ષે.

Tags:    

Similar News