ગાંધીનગર: કેબિનેટની બેઠકમાં ખેડૂત અને બિન અનામત માટે મોટો નિર્ણય

કેબિનેટ બેઠકમાં આજે મહત્વનો નિર્ણય ખેડૂતો માટે લેવામાં આવ્યો

Update: 2021-10-27 12:10 GMT

ગુજરાત સરકારની કેબિનેટ બેઠકમાં આજે મહત્વનો નિર્ણય ખેડૂતો માટે લેવામાં આવ્યો છે. મગફળીના ટેકાના ભાવ માટે રજીસ્ટ્રેશનનો ટાઈમ 31 ઓક્ટોબર સુધી લંબાવવા આવ્યો છે આનાથી જે કોઈ પણ ખેડૂત ઓનલાઈન રજીસ્ટ્રેશનથી વંચિત છે તેના માટે 5 દિવસનો સમય ગાળો વધારી દેવામાં આવ્યો છે.તો બીજી તરફ ખેડૂતોને સિંચાઈના પાણીને લઈને પણ ગુજરાત સરકાર દ્વારા મોટો આદેશ આપી દેવામાં આવ્યો છે. કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીના જણાવ્યા અનુસાર સિંચાઇનું પાણી દર વખતે દિવાળી બાદ ખેડૂતો માટે છોડવામાં આવે છે પણ કેબિનેટ બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. ખેડૂતોને શનિવારથી સિંચાઈ માટે પાણી આપવાનું આયોજન કરતાં આવ્યું છે તે બાદ આ વખતે ખેડૂતોને સિંચાઇનું પાણી તેમને જરૂર હશે ત્યારે સીઝન દરમિયાન છોડી દેવામાં આવશે આ માટે બેઠકમાં જ સંબંધિત અધિકારીને સરકાર દ્વારા આદેશ આપી દેવામાં આવ્યા છે પોલીસ ગ્રેડ -પે આંદોલન મામલે પણ કેબિનેટ બેઠકમાં ચર્ચા થઈ છે. પોલીસ આંદોલન અંગે જીતુ વાઘાણી નિવેદન આપતા કહ્યું છે કે ગૃહ રાજ્યમંત્રી વાર્તાલાપ કરી રહ્યા છે. સાથે જ આ બાબતે પોલીસ કર્મચારીઓને અપીલ કરી છે કે કાયદા વ્યવસ્થા ન ખોરવાય એનું ધ્યાન રાખે અને વધુમાં કહ્યું હતું કે કર્મચારીઓની સાચી બાબતમાં સરકાર હકારાત્મક વિચારી રહી છે.ગુજરાત સરકારની કેબિનેટ બેઠકમાં બીજો એક મોટો નિર્ણય જનરલ કેટેગરીમાં આવતા લોકો માટે કરવામાં આવ્યો છે. બિન અનામત વિભાગમાં 500 કરોડ રૂપિયાનું બજેટ આપવાનું એલાન સરકાર દ્વારા કરવામાં આવ્યું છે.

Tags:    

Similar News