અંકલેશ્વર:તાંડવ વેબ સીરિઝનો વિરોધ જુઓ કરણી સેનાએ શું કર્યું

Update: 2021-01-21 13:12 GMT

તાજેતરમાં રીલીઝ થયેલ તાંડવ વેબ સીરિઝનો ઠેર ઠેર વિરોધ નોધાવવામાં આવી રહ્યો છે ત્યારે અંકલેશ્વરમાં કરણીસેના દ્વારા પોસ્ટર સળગાવી વિરોધ નોધાવ્યો હતો

ગત શુક્રવારે એક્ટર સૈફ અલી ખાન-ડિંપલ કાપડિયા અને અલી જીશાન આયૂબ સ્ટારર વેબ સીરીઝ તાંડવ  રિલીઝ થઇ છે. આ સીરીઝમાં કેટલાક સીનને લઇને ભારે વિવાદ જોવા મળી રહ્યો છે. હિંદુઓની ભાવનાને ઠેંસ પહોંચાડવામાં આવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો અને ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે ત્યારે આજે અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા ખાતે કરણીસેના દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું જેમાં વેબ સીરિઝનું પોસ્ટર સળગાવી વિરોધ નોધાવવામાં આવ્યો હતો. આ વેબ સીરિઝને બેન કરવાની માંગ કરવામાં આવી છે.અત્રે મહત્વપૂર્ણ છે કે તાંડવ વેબ સીરિઝના નિર્માતા અને નિર્દેશકો વિરુધ્ધ દેશમાં અનેક જગ્યાએ પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે અને કેન્દ્રિય સૂચના તેમજ પ્રસારણ મંત્રાલય પણ આ મામલે હસ્તક્ષેપ કરી રહ્યું છે

Tags:    

Similar News