શ્રી ગણેશ પુરાણ કથાનું વલસાડ વાળા રાકેશ જોશી કથાનું અમૃતમય વાણીમાં રસપાન
અંકલેશ્વર હાંસોટ રોડ પર આવેલ તુરંત જ ફળ આપનાર ક્ષિપ્રા ગણેશ મંદિર ખાતે ક્ષિપ્રા ગણેશ સેવા ટ્રસ્ટ દ્વારા તા.૨૩ થી ૨૯ મે દરમ્યાન શ્રી ગણેશ પુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વલસાડ વાળા રાકેશ જોશી કથાનું અમૃતમય વાણીમાં રસપાન કરાવી રહ્યા છે જેનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લીધો હતો.