ભરૂચ: રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા ધૈર્યરાજસિંહની સારવાર માટે દાન આપવા અપીલ
ભરૂચ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા ગંભીર બીમારી ગ્રસ્ત બાળક ધૈર્યરાજસિંહની સારવાર માટે યોગદાન આપવા અપીલ કરવામાં આવી છે.
રાષ્ટ્રીય રાજપૂત કરણીસેના દ્વારા ભરૂચની ફેઈથ કેલવરી શાળા ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગંભીર બીમારીનો શિકાર બનેલ ત્રણ વર્ષના બાળક ધૈર્યરાજસિંહની ખર્ચાળ સારવાર અર્થે નાણાંની જરૂર હોય સહાયની અપીલ કરવામાં આવી હતી. તે સાથે વીર પરાક્રમી મહારાણા પ્રતાપ ના અપમાનની ઘટનાને વખોડવામાં આવી હતી. ધૈર્યરાજસિંહની સારવાર માટે રૂપિયા 16 કરોડની જરૂર છે અને હાલ સુધી સાડા ચાર કરોડ રૂપિયા એકત્રિત થયા છે ત્યારે ભરૂચના દાતાઑ આગળ આવી આ પરિવારને મદદ કરે અને બાળકનો જીવ બચાવવા આગળ આવે એવી અપીલ કરવામાં આવી હતી.