અંકલેશ્વર: અડોલ ગામે પરિવાર નિંદર માણતો રહ્યો અને તસ્કરો મકાનમાંથી સોના ચાંદી દાગીનાની ચોરી કરી ફરાર

પટેલ પરિવારના ઘરમાં તસ્કરોએ સોના,ચાંદીના સહિત રોકડ રૂપિયા 15 હજાર પર હાથફેરો કરી પલાયન થઈ ગયા

Update: 2022-04-15 10:54 GMT

અંકલેશ્વર તાલુકાના અડોલ ગામે નવી નગરીમાં રહેતા પટેલ પરિવારના ઘરમાં તસ્કરોએ સોના,ચાંદીના સહિત રોકડ રૂપિયા 15 હજાર પર હાથફેરો કરી પલાયન થઈ ગયા હતા. અંકલેશ્વરના અડોલ ગામે નવી નગરીમાં રહેતા અલ્પેશભાઈ પટેલ નિત્યક્રમ પ્રમાણે સવારના સમયે નોકરી પર ગયા બાદ પરિવારના બાકીના સભ્યો ઉપરના માળે મીઠી નીંદર માણી રહ્યા હતા તે દરમિયાન નીચેના રૂમનો આગળના દરવાજાનો નકુચો તોડી તસ્કરોએ ઘરમાં પ્રવેશ મેળવી તિજોરી તોડી સોના ચાંદીના દાગીના સહિત રોકડ રકમ 15 હજારની ચોરી કરી પલાયન થયા હતા. પરિવારે ચોરીની ઘટનાની જાણ અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે કરતા પોલીસે ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી છે.

Tags:    

Similar News