અંકલેશ્વર: ઉદ્યોગ મંડળના પ્રમુખ તરીકે જશુ ચૌધરીએ સંભાળ્યો ચાર્જ, કહ્યું બિસ્માર માર્ગોના સમારકામની પ્રાથમિકતા

એશિયાની સૌથી મોટી ઔદ્યોગીક વસાહત એવી અંકલેશ્વર જીઆઈડીસીના ઉદ્યોગોનું સુકાન સંભાળતાઅંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણી તાજેતરમાં યોજાઇ હતી.

Update: 2022-07-21 08:19 GMT

અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ તરીકે આજરોજ જશુ ચૌધરીએ વિધિવત રીતે ચાર્જ સાંભળતા આગેવાનો દ્વારા શુભેરછા પાઠવવામા આવી હતી. નવ નિયુક્ત પ્રમુખે બિસ્માર માર્ગનું તાકીદે નિરાકરણ લાવવવાની ખાતરી આપી હતી

એશિયાની સૌથી મોટી ઔદ્યોગીક વસાહત એવી અંકલેશ્વર જીઆઈડીસીના ઉદ્યોગોનું સુકાન સંભાળતાઅંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણી તાજેતરમાં યોજાઇ હતી. બુધવારના રોજ ઉદ્યોગ મંડળની વાર્ષિક સામાન્ય સભા મળી હતી જેમાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ તરીકે અંકલેશ્વર નોટીફાઈડ એરિયા ભાજપના પ્રમુખ જશુ ચૌધરીની વરણી કરવામાં આવી હતી ત્યારે આજે તેઓએ સત્તાવાર રીતે ચાર્જ સંભાળ્યો હતો.

આ પ્રસંગે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના આગેવાનો અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓને શુભકામાં પાઠવી હતી.નવ નિયુક્ત પ્રમુખ જશુ ચૌધરીએ જણાવ્યુ હતું કે હાલમાં જી.આઈ.ડી.સી.ના વિવિધ પ્રશ્નો છે ખાસ કરીને ચોમાસામાં બિસ્માર બનેલા માર્ગોનું વહેલીતકે સમારકામ કરાવવામાં આવશે સાથે જ પાણીના પ્રશ્નના નિરાકરણની પણ પ્રાથમિકતા રહેશે

Tags:    

Similar News