અંકલેશ્વર : રમઝાન ઈદના પર્વને ધ્યાનમાં રાખી વિભાગીય પોલીસ વડાની અધ્યક્ષતામાં મળી શાંતિ સમિતિની બેઠક

અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા ઈદનો તહેવાર શાંતિ ભર્યા વાતાવરણમાં સંપન્ન થાય તે માટે તમામ લોકોને અપીલ કરવામાં આવી

Update: 2022-05-02 13:41 GMT

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર ખાતે અંકલેશ્વર વિભાગીય પોલીસ વડાની અધ્યક્ષતામાં રમઝાન ઈદ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક મળી હતી. રમઝાન ઈદના તહેવાર નિમિત્તે અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ચિરાગ દેસાઈની અધ્યક્ષતામાં મળેલી શાંતિ સમિતિની બેઠકમાં હિન્દુ-મુસ્લિમ આગેવાનો સાથે રમઝાન ઈદના તહેવાર અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા ઈદનો તહેવાર શાંતિ ભર્યા વાતાવરણમાં સંપન્ન થાય તે માટે તમામ લોકોને અપીલ કરવામાં આવી છે. આ બેઠકમાં પીઆઈ. વી.એન.રબારી, આગેવાન જહાંગીર પઠાણ, રફીક ઝઘડિયાવાલા, સુરેશ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે રમઝાન ઈદના પર્વને લઇ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા ફૂટ પેટ્રોલિંગ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે તેવું અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ચિરાગ દેસાઈએ જણાવ્યુ હતું.

Tags:    

Similar News