અંકલેશ્વર : સારંગપુરના પદ્માવતી નગરમાં મકાન બહાર પાર્ક કરેલ 3 કારના સાયલેન્સરની ચોરી, CCTVમાં કેદ તસ્કરો...

એક સાથે 3 જેટલી ફોર વ્હીલર કારમાંથી રૂપિયા 1.60 લાખના સાયલેન્સરની ચોરી થઈ

Update: 2022-10-31 12:07 GMT

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના સારંગપુર નજીક પદ્માવતી નગરમાં પાર્ક કરેલ 3 જેટલી ફોર વ્હીલર કારના સાયલેન્સરની ચોરી કરનાર તસ્કરો સીસીટીવી કેમેરા કેદ થઈ ગયા હતા. અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ પદ્માવતી નગરમાં રહેતા જીજ્ઞેશ મકવાણા ફોટો સ્ટુડિયો ચલાવે છે. ગત તારીખ 28 ઓક્ટોબરના સવારના સમયે તેઓ કામ અર્થે બહાર ગયા હતા, અને રાત્રે તેઓની ઇક્કો કાર નં. GJ-16-CS-8647 મકાન બહાર પાર્ક કરી સૂઈ ગયા હતા.

આ દરમિયાન તસ્કરોએ ત્રાટકી કારના સાયલેન્સરની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જોકે, બીજા દિવસે સવારે જીજ્ઞેશ મકવાણાએ કારને સેલ મારતા જ કઈ વધુ અવાજ આવતા તેઓ આશ્વર્ય પામ્યા હતા, અને કારની બાહાર આવી જોતાં સાયલેન્સરની ચોરી થઈ હોવાનું માલૂમ પડ્યું હતું. તો આજુબાજુમાં રહેતા સંજય પ્રસાદ અને ભીમ પ્રજાપતિની કારમાંથી પણ સાયલેન્સરની ચોરી થઈ હતી. એક સાથે 3 જેટલી ફોર વ્હીલર કારમાંથી રૂપિયા 1.60 લાખના સાયલેન્સરની ચોરી થતાં અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

તો બીજી તરફ પદ્માવતી નગરમાં ત્રાટકેલા તસ્કરોની તમામ કરતૂત CCTV કેમેરામાં કેદ થઈ જવા પામી હતી, ત્યારે હાલ તો કારમાંથી સાયલેન્સર ચોરીની ઘટના અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે CCTV ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

Tags:    

Similar News