અંકલેશ્વર: ટ્યૂશને ગયેલ 17 વર્ષીય સગીરા ગુમ,પોલીસે શોધખોળ શરૂ કરી
સગીરા અગાઉ બે વાર પોતાની બહેનપણી અમદાવાદ ખાતે રહેતી હોય ત્યાં ચાલી ગઈ હતી
અંકલેશ્વરમાં ટ્યુશને ગયેલ સગીરા પરત નહિ ફરતા તેણીને અજાણ્યા ઈસમો લઈ ગયા હોવા અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે અંકલેશ્વરના એક વિસ્તારમાં રહેતી 17 વર્ષીય સગીરા ગત તારીખ-27મી ઓગસ્ટના રોજ પોતાના ઘરેથી ટ્યુશન ગઈ હતી જે સગીરા સાંજ સુધી પોતાના ઘરે નહિ ફરતા પરિવારજનોએ તેણીની ભારે શોધખોળ હાથ ધરી હતી..
આ સગીરા અગાઉ બે વાર પોતાની બહેનપણી અમદાવાદ ખાતે રહેતી હોય ત્યાં ચાલી ગઈ હતી જેને પગલે પરિવારના સભ્યોએ અમદાવાદ ખાતે પણ તપાસ કરતા તે મળી આવી ન હતી જેથી પરિવારજનોએ તેણીને કોઈક અજાણ્યા ઈસમો પટાવી ફોસલાવી લઈ ગયા હોવાની જાણ થતાં પરિવારજનોએ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.