ભરૂચ : દહેજની ઓમ ઓર્ગેનિક કંપનીમાં બ્લાસ્ટ થતાં 6 લોકોના મોત, પોલીસ તપાસ શરૂ...

ભરૂચ જિલ્લાના દહેજ ઔધોગિક વસાહત સ્થિત ઓમ ઓર્ગેનિક કંપનીમાં અચાનક બ્લાસ્ટ થતાં ભીષણ આગ ફાટી નીકળી હતી, ત્યારે આગની ઘટનામાં દાઝી જવાથી 6 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે

Update: 2022-04-11 05:03 GMT

ભરૂચ જિલ્લાના દહેજ ઔધોગિક વસાહત સ્થિત ઓમ ઓર્ગેનિક કંપનીમાં અચાનક બ્લાસ્ટ થતાં ભીષણ આગ ફાટી નીકળી હતી, ત્યારે આગની ઘટનામાં દાઝી જવાથી 6 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે.

Bharuch: 6 killed in blast at Dahej's Om Organic Company, police begin investigation ..એક તરફ ઉનાળાની કાળઝાળ ગરમી વધી છે, તો બીજી તરફ આગના બનાવોમાં પણ વધારો થઇ રહ્યો છે, ત્યારે ગત મોડી રાત્રે ભરૂચના દહેજમાં આવેલી ઓમ ઓર્ગેનિક કંપનીમાં અચાનક બ્લાસ્ટ થતાં ભીષણ આગ ફાટી નીકળી હતી. કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી, તે દરમિયાન જ બ્લાસ્ટ થતા આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે, દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. બનાવને પગેલ ફાયરબ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબુ મેળવવા પ્રયાસ શરૂ કર્યો હતો. જોકે, આગ એટલી વિકરાળ હતી કે, 5 લોકોના દાઝી જવાથી ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા, જ્યારે એક કામદારનો પત્તો ન મળતા શોધખોળ બાદ તેનો પણ મૃતદેહ મળી આવતા મૃત્યુઆંક 6 પર પહોચ્યો છે. ઘટનાના પગલે મૃતકોના પરિવારજનોમાં ભારે દુઃખની લાગણી જોવા મળી છે. આગ એટલી વિકરાળ હતી કે, કંપનીમાં રહેલ તમામ સામાન બળીને ખાખ થઇ ગયો હતો. ઘટનાના પગલે ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલ, FSLની ટીમ સહિત આરોગ્ય વિભાગનો કાફલો દોડી આવ્યો હતો. જોકે, કંપનીમાં ફાયર સેફ્ટીને લઇને પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

Tags:    

Similar News